________________
શકે : ઉપર્યુક્ત બંધન-મોક્ષ વગેરે સર્વના સંદર્ભમાં, બસ, આ જ છે પ્રત્યક્ષ અને પરોક્ષ, આત્મગત અને અન્યગત, સ્વ અને પર - એવી પરસ્પર-વિરોધી અનુભૂતિ વચ્ચેનો તફાવત !
સ્વ-સંવેદનનાં મહત્ત્વનાં સંદર્ભમાં આ પ્રસિદ્ધ અંગ્રેજી કહેવત યાદ આવે
"Only the wearer knows where the shoe pinches !" - પગરખાંમાં ખીલી ક્યાં અને કેવી ડંખે છે, તે તો માત્ર પગરખાં પહેરનાર માણસ જ જાણી શકે !
પરંતુ બંધન અને મોક્ષ સિવાયની જે બીજી થોડી પરિસ્થિતિઓ શ્લોકમાં ઊમેરવામાં આવી છે, તે તો, બંધન-મોક્ષના અનુભવની પ્રતીતિ કરાવવા માટેનાં માત્ર ઉદાહરણરૂપ છે : પોતાનાં અજ્ઞાનરૂપી બંધનમાંથી મોક્ષ મળતાં, સ-ચિતઆનંદ-સ્વરૂપ આત્માની ઉપલબ્ધિ તે મુક્તાત્માને થાય, એનું પ્રમાણ ભલે શાસ્ત્ર વગેરે બની શકે, પરંતુ અંતે તો તે, પરોક્ષાનુભવ જ, - અંતઃકરણથી સિદ્ધ થયેલા પોતાના અપરોક્ષાનુભવની તોલે તો તે ન જ આવી શકે ! મૂળભૂત રીતે આચાર્યશ્રીને જે વિવક્ષિત છે તે, - આ જ!
શ્લોકનો છંદ : અનુણુપ (૪૭૬)
४७७
तटस्थिता बोधयन्ति गुरवः श्रुतयो यथा ।
प्रज्ञयैव तरेद् विद्वानीश्वरानुगृहीतया ॥४७७॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
તટસ્થિતા બોધયન્તિ ગુરવઃ કૃતયો યથા !
પ્રજ્ઞવ તરેદ્ વિદ્ધાનીશ્વરાનુગૃહીતયા I૪૭ી શ્લોકનો ગદ્ય અન્વય :
यथा श्रुतयः (तथा) गुरवः तटस्थिताः बोधयन्ति, (तस्माद्) विद्वान् ईश्वर-अनुगृहीतया प्रज्ञया एव (संसारसागर) तरेत् ॥४७७॥ શબ્દાર્થ :
શ્લોકમાં યથા-તથા(જેમ-તેમ, જેવી રીતે-તેવી રીતે)વાળી વાક્યરચના ધરાવતાં, બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
૯૪૨ | વિવેકચૂડામણિ