SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં, બલકે અનિવાર્ય (Indispensable) બની રહે છે. “શ્રવણ પછીનું “મનન', પેલાં “શ્રુત’ જ્ઞાનને ચિત્તનાં ફલક પર હંમેશ માટે સ્થિરતાપૂર્વક સાચવવામાં એક પ્રકારનું જડબેસલાક સાધન છે, એ એક માનસશાસ્ત્રીય સત્ય છે. એકંદરે, શ્લોકમાંથી સ્વયમેવ ઉપસી આવતા આટલા મુદ્દાઓ, નોંધપાત્ર બને છે એક : શ્રવણ દ્વારા મળેલું જ્ઞાન પરોક્ષ હોય, એટલે, આત્મતત્ત્વની સમાધિ સંપન્ન કરવાની રહે; બે : સંસારનાં અસંખ્ય પ્રલોભક પદાર્થો-વિચારો-સંવેદનોના પ્રભાવ વડે ચિત્ત જરા પણ ડામાડોળ ન બને, તે માટે, ચિત્તને સંપૂર્ણરીતે “સમાહિત’ રાખવાનું ખૂબ જ આવશ્યક છે; અને ત્રણ : પશ્ય એ આજ્ઞામાં, આધ્યાત્મિક પ્રકારનાં દર્શન’ ઉપરાંત, આત્મતત્ત્વનાં “સાક્ષાત્કરણ'(Direct realisation)નો સંકેત પણ સમાવિષ્ટ છે જ. અને છેલ્લું છતાં એટલું જ મહત્ત્વનું છે, - જ્ઞાનચક્ષુનું ફુટત્વ, - જે આપણને, શ્લોક-૩૩૬ પ્રત્યે ફરી એક વાર નિરીક્ષણ કરવાનું સૂચવે છે : निर्विकल्पसमाधिना स्फुटं ब्रह्मतत्त्वमवगम्यते ध्रुवम् । न अन्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૪) - ૪૦૫ स्वस्याविद्याबन्धसम्बन्धमोक्षात् - સત્યનાનપાત્મનવ્ય | शास्त्रं युक्तिर्देशिकोक्तिः प्रमाणं વાન્તઃ સિદા સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ II૪૭વા શ્લોકનો ગુજરાતી પાઠ: સ્વસ્યાવિદ્યાબન્ધસંબંધમોક્ષાત્ સત્યજ્ઞાનાનન્દરૂપાત્મલબ્ધી | શાસ્ત્ર યુકિતદેશિકોક્તિઃ પ્રમાણે ચાન્તઃ સિદ્ધા સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ I૪૭પ વિવેકચૂડામણિ | ૯૩૭
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy