________________
શ્લોકનો ગદ્ય અન્વય :
સ્વસ્થ અવિદ્યાવધ-સમ્બન્ધ-મોક્ષાત્ સત્ય-જ્ઞાન-ગાનન્દ્રરૂપા-ઞાત્મની, શાસ્ત્ર યુત્તિ: વૈશિ-ઽત્તિ: (૪) પ્રમાળ (મન્યતે), અન્ત:સિદા ૬ સ્વાનુભૂતિઃ પ્રમાળ (મસ્તિ) ૪૭ ||
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) આત્મનબી શાસ્ત્ર યુત્તિ: વૈશિ-ત્તિ: પ્રમાળ (મન્યતે) । આત્મતબી એટલે આત્માની પ્રાપ્તિ (લબ્ધિ), તેમાં; આત્માની ઉપલબ્ધિ, તેમાં; પ્રમાળમ (મન્યતે) । પ્રમાણરૂપ, પ્રમાણભૂત (Authoritative) ગણાય છે, મનાય છે. આત્માની આ ઉપલબ્ધિ શામાંથી મેળવવાની વાત છે ? - સ્વસ્થ અવિદ્યાવન્ધ-સમ્બન્ધમોક્ષાત્ । અવિદ્યા એટલે અજ્ઞાન; વન્ય - બંધન; મોક્ષ એટલે મુક્તિ, છુટકારો. પોતાનાં અજ્ઞાનરૂપી બંધનના સંબંધમાંથી છુટકારો મળતાં; આ મુક્તિ મળતાં, આત્માની પ્રાપ્તિ ક્યાં રૂપે થાય છે ? - સત્ય-જ્ઞાન-બાન-રૂપા / સત્ય, જ્ઞાન અને આનંદરૂપ આત્માની પ્રાપ્તિ; આ પ્રાપ્તિમાં કોણ-કોણ પ્રમાણરૂપ ગણાય છે ? (અ) શાસ્ત્રમ્ । શાસ્ત્ર, શાસ્ત્રના ગ્રંથો, તેમાંના ઉપદેશો; (બ) યુત્તિ: 1 ન્યાય, તર્ક, અનુમાન, દલીલો વગેરે (Logic, Arguments); (ક) વૈશિ-ત્તિ: / વૈશિષ્ઠ એટલે ઉપદેશક, ગુરુજનો, આચાર્યો; તેમનાં વચનો, માર્ગદર્શન, ઉપદેશો, વ્યાખ્યાનો, પ્રવચનો વગેરે.
-
આ ત્રણ :
-
(૨) આ ઉપરાંત, બીજું પ્રમાણ કયું છે ? अन्तःसिद्धा स्वानुभूतिः । અંતઃકરણથી સિદ્ધ થયેલી, ભીતરમાંથી ઉદ્ભવેલી. સ્વાનુભૂતિ એટલે પોતાનો અનુભવ. (૪૭૫)
અનુવાદ :
પોતાનાં અવિદ્યારૂપી બંધનના સંબંધમાંથી મુક્તિ મળતાં, સત્ય-જ્ઞાન-આનંદરૂપ આત્માની ઉપલબ્ધિ થાય છે, તેમાં શાસ્ત્ર, તર્ક-સંમત યુક્તિ અને ગુરુજનોનાં વચનો પ્રમાણરૂપ મનાય છે; (પરંતુ તેની સાથે જ) અંતઃકરણમાંથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ (પણ) એમાં પ્રમાણરૂપ છે. (૪૭૫)
ટિપ્પણ :
આ શ્લોકમાં, આ પહેલાંના બે શ્લોકોની જેમ, વૃતાર્થો ભવતુ (શ્લોક-૪૭૩) તથા પશ્ય (શ્લોક-૪૭૪) જેવાં આજ્ઞાવચનો નથી, પરંતુ “આત્માની ઉપલબ્ધિની ૯૩૮ / વિવેકચૂડામણિ