________________
સાત્વિક મનોવૃત્તિવાળા સહ સાધકો સમજે છે કે “મોક્ષ' એટલે જન્મ-મરણની સતત ચાલી રહેલી ઘટમાળમાંથી મુક્ત થવું. પરંતુ એ “ઘટમાળ “બંધન'-રૂપ શાથી બની ગઈ? એ બંધન કેવું છે, એની રચના, એનું સર્જન વગેરે કેવી રીતે થયાં ? અને આ બંધનોને કેવી રીતે છોડી શકાય ? - આવી સર્વ પ્રક્રિયાઓ કંઈક આવી છે :
અહંકાર' શબ્દ સહુ જાણે છે. સામાન્ય રીતે એનો Pride, Vanity - એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ ખરેખર, વસ્તુતઃ, એવું નથી. મનમાંનો (ગ) “હુંએવો ભાવ, એટલે અહંકાર. સંસારનાં સર્વ બંધનોનાં મૂળમાં આ “અહંભાવ' રહેલો છે અને તેથી જ અહીં તેને મારું કહેવામાં આવ્યો છે. સર્વ બંધનોની શરૂઆત જ આ ભાવથી થાય છે, સર્વ બંધનોનાં મૂળમાં આ “અહંભાવ' - Egotism - જ રહેલો છે. માનસશાસ્ત્ર(Psychology)ના પાશ્ચાત્ય પ્રણેતા ફ્રોઈડ (Freud) પોતાના સિદ્ધાંતનું મંડાણ જ આ “અહં (Ego, “કેપિટલ-આઈ 1')ના આધારે કર્યું છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને દેહ, સુદ્ધામાં, સર્વમાં, સર્વત્ર અહંપણુંમારાપણું- એ ભાવની અનુભૂતિ, એના વડે મનુષ્યનું સમગ્ર અસ્તિત્વ ગ્રસ્ત થઈ જાય, ત્યારે મનુષ્ય એમાં એવો જકડાઈ જાય છે કે એને બીજું કશું દેખાતું નથી. હકીકતમાં, આવું બંધન સાચું (Real) હોતું જ નથી. એ કલ્પવામાં આવેલું છે, કિલ્પિત છે, એ છે મનુષ્યોનો માત્ર “ભ્રમ' (A delusion) જ. આવી કલ્પના, કેમ કરીને શક્ય બની ? માત્ર એક જ જવાબ : પોતાનાં સાચાં મૂળભૂત સ્વરૂપનું અજ્ઞાન. પોતે આ દેહધારી મનુષ્ય જીવાત્મા નથી, પરંતુ પરમાત્મા છે, - એ સનાતન સત્ય(Eternal Truth)નું અજ્ઞાન. આ “અહંકાર'(Self-love)ને વેદાન્તદર્શનમાં “અવિદ્યા' (Spiritual ignorance) ગણવામાં આવી છે. આ અવિઘાને કારણે એક મોટી અનર્થ-પરંપરા સર્જાય છે : અંધકાર વડે ઢંકાયેલું દોરડું સાપનો ભ્રમ અને ભય ઊભો કરે છે, તેમ જ આ “અહંકાર'-રૂપી અવિદ્યાનાં આવરણને કારણે, બંધનની કલ્પના સર્જાય છે. અને આ બંધનને છોડવાની ઇચ્છા એટલે જ પોતાનાં સાચાં સ્વરૂનું જ્ઞાન, વિદ્યા (Spiritual knowledge : સ્વ-સ્વરૂપાવવોધ). હકીકતમાં, આવા સ્વ-સ્વપ-અવળોધ થતાંની સાથે જ, એના વડે પેલા અજ્ઞાનકલ્પિત બંધનને છોડવાની ઈચ્છા મોજુમિચ્છી, સાધકનાં ચિત્તમાં, સ્વયમેવ, જાગૃત થાય છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૮)
- ૨૯ मन्दमध्यमरूपापि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ॥ २९ ॥
વિવેકચૂડામણિ | ૮૯