________________
દીધી છે, તેવા.
(૨) નિરપાસ્તો:. આ પહેલાંનાં વિશેષણમાં રાગના ત્યાગની વાત હતી, અહીં ભોગના ત્યાગની વાત છે. હકીકતમાં, નિરસ્ત અને નિરપાત, - એ બંને શબ્દોમાં, મસ્ત (સ્ એટલે ફેંકી દેવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫)- એ શબ્દને, અનુક્રમે, નિદ્ અને નિસ્ તથા મા, – એવા ઉપસર્ગો લગાડવામાં આવ્યા છે. એટલે. નિરક્ત અને નિરપતિ એ બંને શબ્દોનો અર્થ એક જ થાય છે ? ત્યજ્યા છે, કાઢી નાખ્યા છે, ફગાવી દીધા છે.
(૩) શાન્તા | શમૂ-શામ્ (શાંત થવું) – એ ધાતુનું કર્મણિ ભૂત-કૃદનું રૂપ. જેઓ શાંત થઈ ગયા છે, જેમનાં ચિત્તના સર્વ વિક્ષેપો-વિક્ષોભો શમી ગયા છે, તેવા. બ્રહ્મનાં ધ્યાનમાં લીન થઈ ગયા હોવાથી, જેમનાં મન હવે વિષયો તરફ પરિભ્રમણ કરતાં નથી, તેવા; ટૂંકમાં, બહિરંગ-ચતુષ્ટય-સાધનોમાંના શમને જેમણે પૂરેપૂરું આત્મસાત્ કરી લીધું છે, તેવા.
(૪) સુ-ટ્રાન્તા I તાન્ત (તમ્ - સંયમ કરવો, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે સંયમી; સુ-દાન્ત એટલે સંપૂર્ણરીતે સંયમી; પોતાનાં ચિત્ત પર જેમનો સંયમ સંપૂર્ણ છે, તેવા; “શમ'ની જેમ, “દમ” પણ જેમણે આત્મસાત્ કરી લીધો છે, તેવા. '
(૫) મહાન્તઃ | મોટા, મહાન, મહાશય, મહાત્મા, મહાનુભાવ.
આવા યોગીઓ પેલો પરમ-આનંદ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? - આ ત્રણ રીત :
(અ) પતતું પરં તત્ત્વ વિશાય ! તે પરમતત્ત્વને જાણીને; (બ) માત્મયોપાત્ | આત્મસાક્ષાત્કાર દ્વારા, ચિત્તને આત્મામાં જોડીને, નિર્વિકલ્પ સમાધિ દ્વારા; અને (ક) મન્ત | છેવટે; એટલે કે ઉપર્યુક્ત (અ) અને (બ)માંની પ્રક્રિયાઓ કર્યા પછી. (૪૭૨) અનુવાદ :
રાગ-રહિત, ભોગ-મુક્ત, શાંત, અત્યંત સંયમી અને મહાત્મા યોગીઓ, તે પરમતત્ત્વને જાણ્યા પછી, છેવટે, આત્મસાક્ષાત્કાર દ્વારા, પરમ-આનંદ, પામે છે. (૪૭૨) ટિપ્પણ:
છેલ્લા કેટલાક શ્લોકોમાં બ્રહ્મનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કર્યા પછી, આચાર્યશ્રી, હવે, પરમતત્ત્વના સાક્ષાત્કારની યાત્રામાં સાધના કરી રહ્યા હોય તેવા
'વિવેકચૂડામણિ | ૯૩૧