________________
છે. શાસ્ત્રો અને સદ્ગુરુઓની પ્રમાણભૂતના(Authority) વિશેની નિષ્ઠા સાચી હશે તો ભીતરમાંથી અસંદિગ્ધ, ખરો જવાબ, અચૂક મળશે. આથી જ ગીતાએ “શ્રદ્ધાનો મહિમા, આ પ્રમાણે, કર્યો છે :1. શ્રદ્ધામયોડ્ય પુરુષ: યો યુદ્ધઃ સ વ : . (૨૭, ૩).
(“આ સંસારી જીવ શ્રદ્ધામય છે, જેની જેવી શ્રદ્ધા, તેવો તે થાય છે.'),
આચાર્યશ્રીએ ઉપર્યુક્ત ગીતા-વચનને પ્રમાણ સમજીને જ અહીં “શ્રદ્ધા' વિશેનો પોતાનો મત દર્શાવ્યો છે કે આ “શ્રદ્ધા' હોય તો જ સાધક પોતાનાં ધ્યેય(વસ્તુ)ને સંપન્ન કરી શકે છે.
અહીં વસ્તુ શબ્દને સમજાવવાની જરૂર રહેતી નથી, કારણ કે વેદાન્તમાં રસ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે સાધકનું એકમાત્ર લક્ષ્ય બ્રહ્મજિજ્ઞાસા છે.
બહિરંગ' સાધનોમાંની “ષસંપત્તિમાંના ચોથા ગુણ,-શ્રદ્ધા'-ની વ્યાખ્યા અહીં કરવામાં આવી છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૨) . .
सर्वदा स्थापनं बुद्धेः शुद्धे ब्रह्मणि सर्वथा ।
तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ॥ २७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વદા સ્થાપન બુદ્ધ શુદ્ધ બ્રહ્મણિ સર્વથા | તત્સમાધાનમિત્યુક્ત ન તુ ચિંતસ્ય લાલનમ્ | ર૭ ||
શ્લોકનો ગદ્ય અન્વયે - યુદ્ધ શુદ્ધ વ્રણ સર્વલ સર્વથા (ચ) સ્થાપન, तत् 'समाधानं' इति उक्तं, चित्तस्य लालनं तु (समाधान) न (एव भवति) ॥(२७)। | શબ્દાર્થ – શુદ્ધ દ્રળિ યુદ્ધઃ સ્થાપન – શુદ્ધ બ્રહ્મમાં બુદ્ધિને સ્થાપવી, . સ્થિર કરવી, સંયુક્ત કરવી. એની રીત કેવી હોવી જોઈએ ? ક્યારે ? સર્વદા - સદા, હંમેશાં, સતત. કેવી રીતે ? સર્વથા બધી રીતે, એટલે કે સંપૂર્ણરીતે, પૂરેપૂરી. આવી “સ્થાપના એટલે જ “સમાધાન'. સાત - લાડ લડાવવાં, આળપપંપાળ કરવી, ફટવી મૂકવું. (૨૭)
અનુવાદ – બુદ્ધિને શુદ્ધ બ્રહ્મમાં, સતત અને સંપૂર્ણરીતે સ્થિર કરી દેવી, એને જ “સમાધાન' કહેવામાં આવે છે. ચિત્તને લાડ લડાવવાં, એ (હરગીઝ સમાધાન) નથી (૨૭)
ટિપ્પણ – “સમાધાન'-ગુણ એટલે શું ? એની સમજૂતી આ શ્લોકમાં આપવામાં આવી છે. મનુષ્યની જીવન-સાર્થકતાનો સઘળો આધાર એના મન અને મનોનિગ્રહ પર, મનની આજ્ઞાંકિતતા પર રહે છે. સ્વભાવે, ચિત્તને તો, ઈન્દ્રિયોના વિષયોમાં ભમ્યા કરવું ગમે છે, એટલે સાધકે એનાં કશાં લાલન-પાલન કે આળપંપાળ
વિવેકચૂડામણિ | ૮૭