SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ अजो नित्यः शाश्वतोऽयं पुराणो ન રમાને શરીરે . (૧, ૨, ૧૮) (“આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે ઃ શરીર હણાય તો પણ તે હણાતો નથી.”). - શ્રુતિની ઘોષણા આવી છે, તો શ્રુતિમાંથી જ પ્રેરણા મેળવતી સ્મૃતિ પણ આ ઘોષણાના પ્રતિઘોષને એ જ શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. (ગીતા ૨, ૨૦) દરેક વસ્તુ આવિષ્કૃત થાય છે જન્મ-સ્વરૂપમાં અને નષ્ટ થાય છે, મૃત્યુનાં સ્વરૂપમાં; અને નિયતિનું નિયંત્રણ અને ચલણ પણ એવી વસ્તુઓ પર જ છે, જેમને જન્મ-મૃત્યુની મર્યાદા નડે છે. પરંતુ આત્મા તો જન્મ-મૃત્યુની આવી સર્વ મર્યાદાઓથી સદા-સર્વદા પર છે અને આવા આત્માના ભાવમાં જ સ્થિત, આત્મભાવથી જ નિરંતર રહેનાર જ્ઞાનીની બાબતમાં, પ્રારબ્ધ'ની કલ્પના કરવી તે, આ પહેલાં સૂચવાયું છે તે પ્રમાણે, એક અનિચ્છનીય અનૌચિત્ય જ કહેવાય ? હકીકતમાં, “પ્રારબ્ધ' જેવાં અનર્થ(Evil)નું પણ જ્ઞાની પાસે કશું ચાલે જ નહીં : તે તો બ્રહ્મમય અને કેવલ” બની ગયો હોવાથી, પ્રારબ્ધીને પણ બ્રહ્મરૂપ સમજે, એટલે પછી બિચારું “પ્રારબ્ધ તેને શી હાનિ પહોંચાડી શકે ? શ્લોકનો છંદ : અનુષુપ (૪૬) ૪૧ प्रारब्धं सिध्यति तदा यदा देहात्मना स्थितिः । देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतामतः ॥४६१॥ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધ સિધ્ધતિ તદા યદા દેહાત્મના સ્થિતિઃ | દેહાત્મભાવઃ નૈવેષ્ટઃ પ્રારબ્ધ ત્યજ્યતામતઃ II૪૬૧ શ્લોકનો ગદ્ય અન્વય : प्रारब्धं तदा सिध्यति, यदा देहात्मना स्थितिः (भवति); देहात्मभावः (तु શનિન:) = અવ રૂટ (ત), અત: પ્રારબ્ધ ત્યતામ્ IIઝદ્દશા શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : વિવેકચૂડામણિ | ૯૦૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy