________________
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : “મન: નિત્યઃ (શાશ્વતઃ પુરાણ:)' રૂતિ પણ અમોધવી શ્રુતિઃ ઝૂતે | કૃતિ: કૂતે | શ્રતિ કહે છે, જાહેર કરે છે, દર્શાવે છે, ઘોષણા કરે છે. કઈ ? કેવી શ્રુતિ? ષી - આ (એટલે કે, અવતરણ ચિહ્નોવાળી, કઠોપનિષદ અને ગીતામાંની). ૩મોષવી. ૩ મોષ એટલે કદી પણ અસત્ય કે ખોટી ન ઠરે એવી. હંમેશ માટે સાચી. માયા (થાર્થી) વા વસ્થા: સા | (બદ્વીતિસમાસ); સત્યવાદિની, યથાર્થવાદિની શ્રુતિ. વાવ એટલે વાણી. આ શ્રુતિ શું કહે છે? - (યં માત્મા) મન: નિત્ય: રૂતિ કૂતે I – “આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને અનાદિ છે', - એમ કહે છે.
શ્રુતિ આમ કહે છે, તેથી શું સમજવું? કી (જ્ઞાનિન: મનુષ્યJ) પ્રારબ્ધના તટ | એ જ કે, તો પછી, આવા જ્ઞાની મનુષ્યની બાબતમાં, પ્રારબ્ધ'ની કલ્પના ક્યાંથી કેવી રીતે) હોઈ શકે ? આ જ્ઞાની કેવો છે ? - માત્મના તિષ્ઠતઃ | આત્મસ્વરૂપે સ્થિત રહેનાર, આત્મભાવે સ્થિર અને સ્વસ્થ રહેનાર. (૪૬૦). અનુવાદ :
સત્યવાદિની શ્રુતિ ઘોષણા કરે છે કે “(આત્મા) તો અજન્મા અને નિત્ય છે', તો પછી, આત્મસ્વરૂપે સ્થિત રહેનાર આવા જ્ઞાની)નાં પ્રારબ્ધની તો કલ્પના જ કેવી રીતે સંભવે ? (૪૬૦) ટિપ્પણ: .
ગયા શ્લોકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે “પ્રારબ્ધનો સંબંધ શરીર સાથે જ છે, કારણ કે પ્રારબ્ધ” જ શરીરનું કારણ છે; પરંતુ આત્મા તો અનાદિ છે, તેથી તેનું કારણ “પ્રારબ્ધ કર્મ ન હોઈ શકે.
શાસ્ત્રીય ચર્ચાનો એક નિયમ છે કે ગમે તેવી ચર્ચાને અંતે નિષ્કર્ષ-રૂપ બનતો નિર્ણય (Conclusion) ત્યારે જ સ્વીકાર્ય બની શકે, જ્યારે એને શ્રુતિ-પ્રમાણનું સમર્થન મળે. ન્યાય-દર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોમાંથી પણ માત્ર એક શબ્દ-પ્રમાણ અથવા શ્રુતિ-પ્રમાણ જ એવું છે, જે, હંમેશાં સત્ય, યથાર્થ અને અમોઘ (Infallible) છે. શ્રુતિની વાણી કદી કોઈનાથી પણ બાધિત(Contracted) કરી શકાતી નથી. આવું શ્રુતિવચન ટાંકવામાં(Quote) આવે, એટલે પૂર્વપક્ષ પણ મૌન બની જાય ! આવી “અમોઘવાફ શ્રુતિ એટલે કઠોપનિષદનો આ મંત્ર:
૯૦૮ | વિવેકચૂડામણિ