________________
(૧) પ્રારબ્ધ તા શિષ્યતિ, યા દેહાત્મા સ્થિતિઃ (મતિ) / તદ્દા એટલે ત્યારે, ત્યાં સુધી; યા એટલે જ્યારે, જ્યાં સુધી; શિષ્યતિ એટલે સિદ્ધસફળ થાય છે, તેની સત્તા અથવા તેનું અસ્તિત્વ સાર્થક બને છે. તેહાત્મની સ્થિતિ: મવતિ | દેહ એ જ આત્મા છે', એવી ભ્રાંત, ભ્રમણાવાળી સ્થિતિ ચાલુ હોય; દેહને જ આત્મા માનવાની મનઃસ્થિતિ હોય. જ્યાં સુધી દેહને જ આત્મા માનવાનું ચાલુ રહે, ત્યાં સુધી જ પ્રારબ્ધનું અસ્તિત્વ સફળ-સાર્થક થાય છે.
(૨) રેહાત્મભાવ: (તુ જ્ઞાનિન:) પવરૂષ્ટ (પ્તિ) | પરંતુ જ્ઞાનીને દેહમાં આત્મભાવ હોય, એ ઇચ્છનીય નથી. | (૩) અત: પ્રારબ્ધ ત્યતામ્ ! અત: એટલે આ કારણે, આથી; આ પહેલાંનાં વાક્યમાં કહેવામાં આવ્યું છે, એથી. પ્રારબ્ધ ત્યતામ્ ! “પ્રારબ્ધની ચર્ચા ત્યજી દેવા જેવી છે; એટલે કે જ્ઞાનીને માટે પ્રારબ્ધ છે જ નહીં ; એટલે આપણે પણ એવી ચર્ચામાં ઊતરવું, તે યોગ્ય નથી. (૪૬૧) અનુવાદ :
દેહ એ જ આત્મા છે', - એવી ભ્રાંત સ્થિતિ હોય ત્યાં સુધી જ, “પ્રારબ્ધ સિદ્ધ થાય છે; પરંતુ (જ્ઞાનીને) દેહાત્મભાવ હોય એ યોગ્ય જ નથી : આથી (જ્ઞાનીના અનુસંધાનમાં) “પ્રારબ્ધી(ની ચર્ચા જ) ત્યજવા જેવી છે. (૪૬૧) ટિપ્પણ:
આમ તો શ્લોક સહેલો છે, વાક્યોની રચના પણ સરળ છે અને શબ્દો પણ સુબોધ છે; એટલું જ નહીં પણ શ્લોકના વિવક્ષિત-અર્થનો નિષ્કર્ષ પણ આ પહેલાંના શ્લોકમાંથી, આપમેળે જ ઉપસી આવે છે. આમ છતાં આટલા મુદ્દા નોંધપાત્ર છે : (૧) પ્રારબ્ધનાં અસ્તિત્વની સમય-મર્યાદા મનુષ્યના દેહાત્મભાવ સુધીની જ છે. (૨) પરંતુ આપણે તો જ્ઞાનીના સંદર્ભમાં જ આ બધી ચર્ચા કરી રહ્યાં છીએ અને જ્ઞાનીને દેહમાં આત્મભાવ હોય, તે કોઈ રીતે ઇચ્છનીય નથી. (૩) વળી, ગયા
શ્લોકમાં ટાંકેલું શ્રુતિવચન પણ દેહ-સ્વરૂપની મર્યાદા અને આત્મ-સ્વરૂપનાં મહત્ત્વ, - આ બંનેને અધોરેખાંકિત કરે છે અને (૪) તેથી જ્ઞાનીના સંદર્ભમાં પ્રારબ્ધની ચર્ચા જરા પણ પ્રસ્તુત નથી. આથી જ આચાર્યશ્રી સાધકને સીધો આદેશ જ આપે છે : प्रारब्धं त्यज्यताम् ।
શ્લોકનો છંદ અનુષુપ (૪૬૧)
૯૧૦ | વિવેકચૂડામણિ