________________
હતી. પાછી ક્યારે વાળવી પડે ? ત્યાં ગઈ હોય તો ને ? એમને પોતપોતાનાં ગોલકમાંથી બહાર જવા જ ન દેવી. આ બધું તોફાન કરી રહેલાં “મનની આવી વૃત્તિ જ અટકી જાય, ક્યાંય બહારનો આશ્રય ન લે (બનાવન), બહારનું બધું ભ્રમણ જ બંધ કરી દે, એમ કરતાં સાવ અટકી જાય, તે ઉત્તમ પ્રકારની “ઉપરતિ' છે. ૩૫+રમ્ એ ધાતુ પરના આ શબ્દનો અર્થ એટલે “અટકી જવું', મનોવૃત્તિ પોતાના સ્વાભાવિક બાહ્ય-પરિભ્રમણમાંથી સંપૂર્ણરીતે અટકી જાય, તે ઉપરતિ'.
શમ' અને “દમ” પછી, વચ્ચેના ત્રણ ગુણોને ન સમજાવતાં, છેલ્લા છઠ્ઠા ગુણ ઉપરતિ’ને અહીં સમજાવ્યો છે, તે, કદાચ, ગ્રંથકારનાં આલેખનની અનુકૂળતા માટે હશે.
શ્લોકનો છંદ : અનુષુપ (૨૩-૨૪)
૨૫ सहनं सर्वदुःखानामम्रतीकारपूर्वकम् ।
चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ॥ २५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :–
. સહન સર્વદુઃખાનામપ્રતીકારપૂર્વકમ્ |
ચિન્તાવિલાપરહિત સા તિતિક્ષા નિગદ્યતે || ૨૫ . * શ્લોકનો ગદ્ય અન્વય:- અપ્રતીવરપૂર્વવં વિતાવિતાપરહિત (૨) સર્વદુઃવાનાં સહન, સા ‘તિતિક્ષા' નિદ્યતે || ર4 |
શબ્દાર્થ – સર્વદલ્લાનાં સદન - બધાં દુઃખોને સહી લેવાં. કેવી રીતે ? પ્રતીકારપૂર્વ - તેનો કશો પણ, કોઈ પણ જાતનો પ્રતીકાર કર્યા વગર, મૌન રહીને, મૂંગે મોઢે, કશી પણ ફરિયાદ કર્યા વિના, કશો પણ સામનો કર્યા વગર, વિસ્તાવિતા રહિત - દુઃખી પડે ત્યારે, કાં એની ચિંતા થાય, અથવા માણસ રડી પડે, વિલાપ કરે, - એવું કશું જ કર્યા વિના, ધીરજ અને હિંમત રાખીને, ચિંતા અને વિલાપની માનવ-સહજ નિર્બળતાને વશ થયા વગર. સા. તિતિક્ષા નિશ્ચિત - આત્મસંયમની આવી પરાકાષ્ઠાને “તિતિક્ષા' કહેવામાં આવે છે. (૨૫).
અનુવાદ :- કશોયે પ્રતીકાર કર્યા વિના અને ચિંતા કે વિલાપ કર્યા વિના, બધાં જ દુઃખોને સહી લેવાં તેને તિતિક્ષા' કહેવામાં આવે છે. (૨૫).
ટિપ્પણ – બહિરંગ' સાધન- પત્તિમાંના “તિતિક્ષા' ગુણને અહીં સમજાવવામાં આવ્યો છે.
તિતિક્ષા' એટલે દુઃખોની સહનશક્તિની પરાકાષ્ઠા. દુઃખો આવી પડે ત્યારે ગભરાઈ જવું, એનો પ્રતીકાર કરવો, એની ચિંતામાં પરેશાન રહેવું, રડારોડ કર્યા કરવી, - બ્રહ્મવિદ્યાના સાધકને આવું બધું છાજે નહીં. કોઈને ખબર ન પડે કે
વિવેકચૂડામણિ | ૮૫