________________
વૈરાગ્ય-વૃત્તિ' વડે, પેલા વિષયોના સમૂહમાંથી (વિષયજ્ઞાતાદ્), રોષકૃષ્ણ - એના પ્રત્યે વારંવાર દોષદૃષ્ટિ કરવાથી, એમ કરતાં દોષમાં પડી જવાય, એવી નજરે, સ્વતક્ષ્ય - પોતાનાં લક્ષ્ય-ધ્યેય(Goal, Aim)ની બાબતમાં, મનસ: નિયતાવસ્થા
મનનું સ્થિર થઈ જવું, મનની સ્થિર અવસ્થા, માનસિક સ્થિરતા, શમઃ કન્યતે। આવી પરિસ્થિતિને, અનુભૂતિને ‘શશ’ કહેવામાં આવે છે. (૨૨-૨૩)
અનુવાદ :← વિષયોના સમૂહ પ્રત્યે, વારંવાર (સતત) દોષષ્ટિ રાખવાથી, તે(સર્વ)માંથી વિરક્ત થઈને, પોતાનાં લક્ષ્ય બાબતમાં, મનનું સ્થિર થઈ જવું, તેને ‘શમ’ કહેવામાં આવે છે. (૨૨-૨૩)
ટિપ્પણ :– બ્રહ્મજિજ્ઞાસાની સફળતા માટેનાં ‘બહિરંગ’ સાધનોમાં જે ત્રીજું, સાધન- શમાવિષ(શ્લોક-૨૦), ઉલ્લેખવામાં આવ્યું હતું, ‘શમ' વગેરે છ તેમાંના શમ'ને અહીં સમજાવવામાં આવ્યો છે.
ગુણોનો સમૂહ,
-
મનુષ્યનાં મનને અસ્વસ્થ કરે છે, - વિષયવાસનાઓ, શબ્દ-સ્પર્શ વગેરે ‘વિષય’-સમૂહ, – એના પ્રત્યે બ્રહ્મજિજ્ઞાસુનું વલણ કેવું હોવું જોઈએ ? વારંવાર, સતત ‘કનડી’ રહેલા આ વિષયોનું સેવન કરવું તે ‘દોષ’ છે, અનિષ્ટ છે, ન કરવા જેવું છે, - એવું વલણ. આવું વલણ રાખવાથી, તેને તેના પ્રત્યે વૈરાગ્ય થાય છે, એક પ્રકારની નફરત થાય છે (વિષ્ય) અને એનાં પરિણામે, પોતાનાં જીવનનાં લક્ષ્ય(બ્રહ્મની પ્રાપ્તિ)ની બાબતમાં, તે માનસિક સ્થિરતા(મનસ: નિયંતાવસ્થા) Steadiness of mindને પામે છે. બસ, મનની આવી સ્થિરતા, સ્થિરાવસ્થા, એ જ ‘શમ’.
-
શ-શામ્- એ ધાતુ પરથી બનેલો આ શમ’ શબ્દ એટલે જ ‘શાન્તિ’ (Mental peace) મનનું શાંત થવું, - હોવું, તે, ઈશ્વરસાક્ષાત્કારની પ્રક્રિયામાં બહુ મહત્ત્વનું છે. આથી જ ગીતામાં કહેવાયું છે કે અશાન્તસ્ય ત: મુહમ્ । (૨,૬૬). “અશાન્તને, – એટલે, આ ‘શમ'-ગુણ વિનાના-ને, વળી, સુખ કેવું ? ક્યાંથી? શાથી ?''
-
-
-
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૨-૨૩) ૨૩-૨૪
વિષષેધ્ય: પરાવૃત્ય સ્થાપનું સ્વ-સ્વોતò॥ ૨૩ ॥ उभयेषामिन्द्रियाणां स दमः परिकीर्तितः ।
बाह्यानालम्बनं वृत्तेरेषोपरतिरुत्तमा ॥ २४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિષયેભ્યઃ પરાવૃત્ય સ્થાપનું સ્વ-સ્વગોલકે ॥ ૨૩ ॥ ઉભયેષામિન્દ્રિયાણાં સ દમઃ પરિકીર્તિતઃ । બાહ્યાનાલમ્બનું વૃત્તેરેષોપરિતરુત્તમા ॥ ૨૪ ॥
વિવેકચૂડામણિ | ૮૩