________________
ટિપ્પણ – બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટેનાં જે ચાર “બહિરંગ” સાધનો અગાઉ ઉલ્લેખવામાં આવ્યાં હતાં, તેમાંનાં બીજાં સાધન-વૈરાગ્ય'-ની, અહીં, સમજૂતી આપવામાં આવી
છે.
જે વ્યક્તિ વિચારશીલ અને સંવેદનશીલ છે તથા જેને બ્રહ્મની જિજ્ઞાસા છે, તેને આ બ્રહ્માંડના સર્વ ભોગ્ય પદાર્થોનાં દર્શનથી, એ સર્વ વિશેનાં શાસ્ત્રોમાંનાં શ્રવણથી, તેમ જ સંતોના ઉપદેશ-સત્સંગ વગેરેથી ખાતરી થાય છે કે એ બધાં અનિત્ય છે, નાશવંત છે. એને સમજાય છે કે એ બધાનો ઉપભોગ એક પ્રકારનું અનિષ્ટ (Evil) છે. એમના સંપર્કમાં આવવાથી, એ બધા પ્રત્યે, પરિણામે, એને તિરસ્કાર-ભાવના તથા ધૃણાબુદ્ધિ થાય છે, અને અંતે સંસાર તથા એની સાથે સંકળાયેલી સર્વ વસ્તુઓ પ્રત્યે તે, એક પ્રકારની, ચીતરી-ચડવા જેવી લાગણી અનુભવવા માંડે છે અને તે બધાથી તે મોઢું ફેરવી લે છે, પરામુખ થઈ જાય છે.
સંસ્કૃત સાહિત્યમાં, શૃંગાર-કરુણ-વીર-હાસ્ય વગેરે જે આઠ કે નવ રસ સ્વીકારવામાં આવ્યા છે, તેમાં એક “બીભત્સ રસ પણ છે. સ્મશાનમાં ગીધડાં શબને ફોલી ખાતાં હોય, અથવા યુદ્ધ પછી સમરાંગણમાં હણાયેલા યોદ્ધાઓનાં લોહી-માંસ વગેરેને પશુઓ ખાતાં-પીતાં હોય, - એવાં દૃશ્યોથી સંવેદનશીલ વ્યક્તિને જે રસાનુભૂતિ થાય, તે ‘બીભત્સ” કહેવાય છે. આ રસના સ્થાયિભાવને “જુગુપ્સા કહેવામાં આવે છે, જેનો આ શ્લોકમાં ઉલ્લેખ છે.
વૈરાગ્ય' એટલે, ખરેખર, શું, એ બરાબર સમજવા માટે, આ બીભત્સ રસની ઉપર્યુક્ત અનુભૂતિને સ્મરણમાં રાખવી જરૂરી છે.
શ્લોકનો છંદ : અનુક્રુપ (૨૧-૨૨)
૨૨-૨૩ विरज्य विषयवाताद् दोषदृष्ट्या मुहुर्मुहुः ॥ २२ ॥
स्वलक्ष्ये नियतावस्था मनस: शम उच्यते । २२-२३ । શ્લોકનો ગુજરાતી પાઠ :
વિરજ્ય વિષયવ્રાતા દોષદેટ્યા મુહુર્મુહુઃ | ૨૨ /
સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનસ: શમ ઉચ્યતે | ૨૨-૨૩ |
શ્લોકનો ગદ્ય અન્વય:- મુહુઃ મુહુઃ દોષટ્ય વિષયવ્રતાર્ વિર, સ્વતંત્યે મનસ: (૧) નિયતીવસ્થા, () “શમ:' ૩ || ૨૨-૨૩ || | શબ્દાર્થ - કાન-ચામડી-આંખ-જીભ-નાક વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે જે અનુભવાય છે, - શબ્દ સાંભળવું), સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, - એ પાંચને “વિષયો' અથવા તન્માત્રાઓ' કહેવામાં આવે છે. ત્રાતિ એટલે સમૂહ, આ પાંચ વિષયોનો સમૂહ, એટલે વિષયવ્રત. મુહ મુહં. એટલે વારંવાર, વિશ્વ-વિરક્ત થઈને, એના પ્રત્યેની
૮૨ ! વિવેકચૂડામણિ