________________
‘સત્ય’ છે અને જગત શાને કારણે ‘મિથ્યા' છે ? આ સવાલ કોઈ પણ મનુષ્યને મુંઝવે એવો છે, અને તેથી જ, એનો જવાબ મેળવવા અને પામવા માટે, તેણે થોડી ધાર્મિક-આધ્યાત્મિક સમજણ-સજ્જતા (Equipment) આત્મસાત્ કરી લેવી જોઈએ. આ જગતનું સર્જક એવું પરમ-તત્ત્વ, - ‘બ્રહ્મ’ છે, એ ભલે ક્યાંય દેખાતું ન હોય, છતાં એ સર્વત્ર છે જ, એટલું જ નહીં પણ એ સદા-સર્વદા રહ્યા જ કરે છે, એ શાશ્વત છે, સનાતન (Eternal) છે, - એવી સાત્ત્વિક શ્રદ્ધા પ્રત્યેક સંનિષ્ઠ ‘આસ્તિક’ને થાય છે, - ‘બહારની’ સ્થૂલ આંખોને બંધ કરીને, ‘અંદરની' ભીતરી સૂક્ષ્મ આંખો પર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી. અને આ જ પેલી સજ્જતા ! અને આપણું આ દેખાતું (વ્યક્ત) જગત તો, વારંવાર, ‘ઉત્પત્તિ’ અને ‘વિનાશ’, ‘સર્જન’ અને ‘પ્રલય'નાં ચક્કરમાં ફસાયેલું જ છે !
અને પેલાં ‘અવ્યક્ત’ બહ્મનું ‘વ્યક્ત’ સ્વરૂપ એટલે જ આ આપણું જગત ! અને આ ‘રહસ્ય'ની અનુભૂતિ એટલે જ વિવેક' !
આવી અનુભૂતિમાં સહાયભૂત થાય એવું, રજ્જુ અને સર્પના ન્યાયનું દૃષ્ટાંત, આ જ કારણે, સ્વીકારવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૦-૨૧)
૨૧-૨૨
- तद्वैराग्यं जुगुप्सा या दर्शनश्रवणादिभिः ॥ २१ ॥ देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोग्यवस्तुनि । २१-२२ ।
શ્લોકનો ગુજરાતી પાઠ :
તદ્વૈરાગ્યે જુગુપ્સા યા દર્શનશ્રવણાદિભિઃ ॥ ૨૧ ॥ દેહાદિબ્રહ્મપર્યન્તે ઘનિત્યે ભોગ્યવસ્તુનિ | ૨૧-૨૨ |
શ્લોકનો ગદ્ય અન્વય :- દર્શનશ્રવિિમ: યેહાલિબ્રહ્મપર્વને અનિત્યે મોમ્યવસ્તુનિ યા ખુગુપ્સા, તપ્ દિ ‘વૈરાયમ્' | (૨૬-૨૨) |
શબ્દાર્થ :- ર્શનશ્રવિિમ:- વર્શન એટલે જોવું અને શ્રવણ એટલે સાંભળવું; જોવા તથા સાંભળવા વગેરે વડે; બ્રહ્મ એટલે, અહીં, બ્રહ્મલોક. વૈહાવિ - દેહ વગેરેથી માંડીને બ્રહ્મલોક (પર્યન્તે) સુધી પ્રસરેલી, ફેલાયેલી, પથરાઈ રહેલી, અનિત્યે મોવ્યવસ્તુનિ - અનિત્ય અથવા નાશવંત, અલ્પજીવી એવી ભોગ્ય વસ્તુઓ પ્રત્યે, આવા પદાર્થો તરફ, યા જે, ગુગુપ્સા – ધૃણાબુદ્ધિ, તિરસ્કાર, ચીતરી-ચડવી તે, Disgust, Aversion, Contempt, ત ્ દ્દિવૈશમ્યમ્ - તે જ વૈરાગ્ય. (૨૧-૨૨) અનુવાદ :– દેહથી માંડીને છેક બ્રહ્મલોક સુધી ફેલાયેલી અનિત્ય એવી (સઘળી) ભોગ્ય વસ્તુઓને જોવા-સાંભળવા વગેરે (અનુભવો) વડે, તેમના પ્રત્યે જે ધૃણા થાય, તે (અનુભૂતિ) જ ‘વૈરાગ્ય' છે.
વિવેકચૂડામણિ | ૮૧
ફર્મા - ૬
1