________________
आदौ
શબ્દાર્થ ઃ— સૌપ્રથમ, શરૂઆતમાં, સૌથી પહેલું, નિત્ય-અનિત્યવસ્તુ-વિવે: જે હંમેશ ટકે છે, તે ‘નિત્ય’, અને જે થોડા, મર્યાદિત સમય માટે જ ટકે છે, તે ‘અનિત્ય’. આત્મા ‘નિત્ય’ છે, જ્યારે દેહ અને દુન્યવી સર્વ વસ્તુઓ ‘અનિત્ય’ છે. આ બંને વસ્તુઓ વચ્ચેના ભેદને પૂરેપૂરો આત્મસાત્ કરવો, - તે
‘વિવેક’.
परिगण्यते ગણના કરવામાં આવે છે, ગણાય છે, તર્+અનન્તરમ્ - ત્યારપછી, તે પછી. ફત્ત-અમુત્ર-તમોન-વિજ્ઞાન: ડ્ર્ફે એટલે અહીં, આ જગતમાંલોકમાં, અમુત્ર એટલે પરલોકમાં, મૃત્યુ પછીના લોકમાં, તમોન તે તે લોકમાં પ્રાપ્ત થતાં ફળોના ઉપભોગો, વિાળ: તેના પ્રત્યે વૈરાગ્ય’.
-
–
-
શમ+આ+િપ-સંપત્તિ: ‘શમ' વગેરે, પ એટલે શમ’- ‘દમ' - ‘તિતિક્ષા’- ‘શ્રદ્ધા’- ‘સમાધાન’ - ‘ઉપરતિ’, એ છ ગુણોને સિદ્ધ કરવાં તે, એને સંપન્ન કરવાં, તે એની ‘સંપત્તિ’. मुमुक्षुत्वम् મુમુક્ષા, મોક્ષ-પ્રાપ્તિ-ઇચ્છા, इति આ પ્રમાણે, સ્પુટમ્ સ્પષ્ટ છે. (૧૯-૨૦)
અનુવાદ :— (આ ચારમાં) નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક’ સૌપ્રથમ ગણવામાં આવે છે(૧); અને ત્યારપછી, આ લોક અને પરલોકમાંના ઉપભોગો · પ્રત્યે ‘વૈરાગ્ય’(૨); શમ-દમ વગેરે છ ગુણોને સંપન્ન કરવાં તે, તેની સંપન્નતા (સંપત્તિ)(૩); અને મુમુક્ષા(૪); આ પ્રમાણે, આ (સાધનો) સ્પષ્ટ છે. (૧૯-૨૦)
-
-
1
ટિપ્પણ :– બ્રહ્મજિજ્ઞાસાની સિદ્ધિ માટે અથવા વેદાન્તવિઘાના અધિકાર માટેનાં બે પ્રકારનાં સાધનો પૈકીનાં ‘બહિરંગ' ચાર સાધનોનું અહીં, આ ત્રણ પંક્તિઓમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, અને તેમાં પણ સૌપ્રથમ ‘વિવેક’ની ગણના કરવામાં આવી છે, અને ત્યારપછી જ બાકીનાં ત્રણ, - વૈરાગ્ય, શમ-દમ વગેરે છ ગુણોની ‘સંપત્તિ’, ‘સંપિત્ત, અને ‘મુમુક્ષા’, - એટલી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ચારના ‘ક્રમ' વિશેની આ સ્પષ્ટતા બહુ સૂચક છેઃ એનો અર્થ જ એ છે કે સાધકે આ ચાર ‘બહિરંગ’ સાધનો આત્મસાત્ કરીને અમલમાં મૂકવામાં, એને જીવનમાં આચારિત કરવામાં આ ‘ક્રમ’ને અવશ્ય અનુસરવો. હવે પછી, આ ‘ચાર’ની વીગતોને સવિસ્તર સમજાવવામાં આવશે, એટલે કે આધ્યાત્મિક દૃષ્ટિએ એનાં મૂળભૂત મર્મનો અથવા રહસ્યનો વિશદતા અને વીગતપૂર્વક, વિસ્તાર કરવામાં આવશે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૯-૨૦)
૨૦-૨૧
ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्चयः ॥
सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ॥ २०-२१ ॥
વિવેકચૂડામણિ | ૭૯