________________
(Blood-pumping organ) તરીકે, કે ઊર્મિ(Sentiments, Emotions)ની અનુભૂતિ કરતાં અંત:કરણ તરીકે, સમજવાનું નથી. અહીં તો, આ “હૃદય” એટલે, મનુષ્યનાં સમગ્ર આધ્યાત્મિક વ્યક્તિત્વનું કેન્દ્ર, - એમ સમજવાનું રહે છે, અને આ વ્યક્તિત્વ ઉપર્યુક્ત ત્રણ ગાંઠો” (“ગ્રન્થિ”) સાથે બંધાયેલું છે, એટલે ગાંઠોરૂપી આ બંધન સંપૂર્ણરીતે ભેદાય-છેદાય નહીં ત્યાં સુધી, મનુષ્ય આત્મવિદ્યા મેળવી શકે નહીં.
અને આ હૃદયગ્રંથિનો સંપૂર્ણપણે વિનાશ થઈ ગયો હોય તો, મનુષ્ય ઈચ્છામુક્ત બની જાય (નિર્જી); વિષય-વાસનાઓથી તે તદ્દન વિમુખ બની જાય; તો પછી એને, આવા ઇચ્છા-વિનાને, જ્ઞાનીને, સ્વયં વિષયો પણ, પ્રવૃત્તિ કરાવવાનું નિમિત્ત, ખરેખર, બની શકે ? એવી પ્રવૃત્તિ માટેનું પ્રયોજન શું? યોગ્ય જ કહેવાયું છે કે પ્રવૃત્તિનાં કશીક પ્રયોજન વગર તો, કોઈ મંદબુદ્ધિ મૂર્ખ (Idiot, Fool) પણ કદી પ્રવૃત્તિ કરતો નથી ! –
प्रयोजनं अनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते । અને આ “ઇચ્છા' એટલે અહ-પ્રેરિત (Ego-prompted, Ego-centric) વાસના; અને હૃદયમાંની પેલી ત્રણેય ગાંઠોનું પૂરેપૂરું ભેદન થઈ ગયા પછી, તેનામાં કશી ઇચ્છા કે વાસના તો રહેતી જ નથી, તો પછી સ્વયં વિષયો પણ, તેને પ્રવૃત્તિ તરફ વાળવાનું કારણ કેવી રીતે બની શકે ? - વિષયો પોતે જ જ્યાં અસહાય, નિરુપાય, નિર્બળ અને લાચાર (Helpless) બની ગયા હોય ત્યાં !
વળી, આ ઈચ્છા” એટલે કે કામને તો શ્રુતિએ મનની વૃત્તિ તરીકે ગણાવી છે : શામ: સંન્યૂ: વિવિજિ. તિ તત્સર્વ મન: વ |
પરંતુ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે, આ કામની ગ્રંથિ તો છેદાઈ ગઈ છે !
આ કારણે, આ નિર્જી – શબ્દ, શ્લોક-૪ર૧ પ્રમાણે, સાધકના આત્મામાંની “પરમ તૃપ્તિ”નો સંકેત આપે છે; અને આ રીતે, આ શ્લોક, મુંડક-ઉપનિષદના ‘‘પદ્યતે હૃદયસ્થિ ... I'(ર, ૧, ૮)-એ મંત્રનું સ્મરણ કરાવે છે.
શ્લોકનો છંદ : અનુણુપ (૪૨૪)
૪૨૫ वासनानुदयो भोग्ये वैराग्यस्य परोऽवधिः । अहंभावोदयाभावो बोधस्य परमोऽवधिः । लीनवृत्तेरनुत्पत्तिमर्यादोपरतिस्तु सा ॥४२५॥
વિવેકચૂડામણિ | ૮૩૧