________________
પાછળ (ઉત્તર), એમ આગળનાંમાંથી પાછળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એમ બતાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, પહેલાંની સ્થિતિ, ‘કારણ’-(Cause)રૂપ હોય છે અને પછીની સ્થિતિ ‘કાર્ય’-(Effect)-રૂપ હોય છે. હવે, જો ‘કાર્ય'ની સ્થિતિ બને જ નહીં, એટલે કે પહેલાં કહ્યા પ્રમાણેનાં ‘કારણ’માંથી પાછળથી નિષ્પન્ન થવું જોઈતું ‘કાર્ય’ નિષ્પન્ન જ ન થાય તો, પહેલાં નિર્દિષ્ટ' કરવામાં આવેલું ‘કારણ’ નિષ્ફળ નીવડ્યું ગણાય, અને આવું જો બને તો ન્યાય-દર્શનમાં, એટલે કે તર્કશાસ્ત્રમાં નિશ્ચિત થયેલો ‘કાર્ય-કારણ'(Cause-Effect)ભાવનો સિદ્ધાંત ખોટો પડ્યો, - એવી એક અ-નિર્વાહ્ય પરિસ્થિતિ સર્જાય.
હકીકતમાં, ગયા શ્લોકમાં, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, - એમ પૂર્વેપૂર્વે નિર્દિષ્ટ ‘કારણ’માંથી, પાછળ-પાછળથી દર્શાવવામાં આવેલું ‘કાર્ય' નિષ્પન્ન થવાની એક, ‘કારણ-કાર્ય-ભાવ’ની, સ્થિતિ-પરંપરાનું આ પ્રમાણે આલેખવામાં કરવામાં આવ્યું છે : વૈરાગ્યનું ફળ આત્મબોધ છે, આત્મબોધનું ફળ ઉપરરિત છે, ઉપતિનું ફળ સ્વ-આનંદનો અનુભવ છે અને આવા આનંદનું ફળ શાંતિ છે. હવે જો વૈરાગ્યનાં ફળ તરીકે આત્મબોધ, આત્મબોધનાં ફળ તરીકે ઉપતિ, ઉપરરિતનાં ફળ તરીકે સ્વઆનંદનો અનુભવ અને આવા અનુભવમાંથી શાંતિ, - એ પ્રમાણે, સંભવિત અને અપેક્ષિત ફળોની પરંપરા નિષ્પન્ન થાય જ નહીં તો, એનો અર્થ તો એ જ થયો કે ઉપર્યુક્ત સ્થિતિ-પરંપરામાં, પહેલાં જણાવવામાં આવેલી ‘કારણ’ની સ્થિતિ નિષ્ફળ જ નીવડી ગણાય ! ટૂંકમાં, આગળની ઉક્તિ પ્રમાણે, પાછળની સ્થિતિ બને જ નહીં તો, એટલે વૈરાગ્યરૂપી ‘કારણ’-માંથી આત્મબોધ-રૂપી ‘કાર્ય’ ઉત્પન્ન જ ન થાય,`વગેરે, તો વૈરાગ્ય, આત્મબોધ, ઉપરતિ, સ્વ-આનંદનો અનુભવ, આ બધાં પૂર્વોક્ત કારણો નિષ્ફળ જ નીવડ્યાં કહેવાય; અને તો પછી, છેલ્લે નિર્દિષ્ટ કરવામાં આવેલું ફળ, - એટલે કે શાંતિની નિષ્પત્તિ તો, અસંભવિત જ બની રહે !
-
પણ તો પછી કરવું શું ?
આ સવાલનો જવાબ શ્લોકની બીજી પંક્તિમાંનાં બે પાદ(ચરણો)માં, આ પ્રમાણે, આપવામાં આવ્યો છ : ચિત્તવૃત્તિને વિષયોમાંથી પાછી ખેંચી લેવી, (Withdrawal), એટલે કે વિષય-નિવારણ (નિવૃત્તિ:), એ જ પરમ (Supreme) સંતોષ છે અને આ પરમ સંતોષ જ, અનાયાસે, એની મેળે, પ્રાપ્ત થતો અનુપમ આનંદ છે, એવી અનેક વિશિષ્ટ પ્રકારની વિભાવનાને સાધકે જીવનમાં કેળવવાનીઅપનાવવાની-આચરવાની રહે !
તાત્પર્યાર્થ એ જ કે પેલી પરમ તૃપ્તિ અને એ જ સ્વયં-પ્રાપ્ત અનુપમ આનંદ, - એવી પરાકાષ્ઠા બની રહેવી જોઈએ.
૮૨૪ | વિવેકચૂડામણિ