________________
૪૨૧
यद्युत्तरोत्तराभावः पूर्वपूर्वं तु निष्फलम् । निवृत्तिः परमा तृप्तिरानन्दोऽनुपमः स्वतः ॥ ४२१॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યદ્યુત્તરોત્તરાભાવઃ પૂર્વપૂર્વ તુ નિષ્ફલમ્ ।
નિવૃત્તિઃ પરમા તૃપ્તિરાનન્દોડનુપમઃ સ્વતઃ ॥૪૨૧॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
વવિ ૩ત્તર-ત્તર-અભાવ: (સ્યાત્, હિં) પૂર્વ-પૂર્વ તુ નિષ્ણાં (મવતિ) । નિવૃત્તિ: પરમા તૃપ્તિ: (અસ્તિ), (યા) સ્વત: અનુપમ: આનન્દ્ (અસ્તિ) ।।૪૨।
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (હિં) પૂર્વ-પૂર્વ નિર્ણાં મવતિ । પૂર્વ-પૂર્વ એટલે અગાઉની સ્થિતિ. તો, (હિં) પૂર્વ-પૂર્વની, અગાઉની સ્થિતિ નિષ્ફળ થાય છે. આવું ક્યારે બને છે ? વિ ઉત્તર-ઽત્તર-અભાવ: (સ્યાત્) / ઉત્તર-ઉત્તર એટલે પછી-પછીનું, પાછળથી બતાવવામાં આવેલી સ્થિતિ. અભાવ: એટલે જો તેમ ન બને તો, એવું ન બને તો.
(૨) નિવૃત્તિ: પરમ તૃપ્તિ: (અસ્તિ) । નિવૃત્તિ એટલે નિવારણ, વિષયોમાંથી નિવૃત્તિ, વિષયોનું નિવારણ, એનો નિષેધ; એ જ ૫૨મ, એટલે કે ઉચ્ચ પ્રકારની, તૃપ્તિ છે. તૃપ્તિ એટલે તુષ્ટિ, સંતોષ.
(૩) સ્વત: અનુપમ: આન: (અસ્તિ) । સ્વત: એટલે એની મેળે, સ્વયં, અનાયાસ; એ જ અનાયાસ આનંદરૂપ છે. (૪૨૧)
અનુવાદ :
જો, આગળ (અગાઉ) કહ્યા પ્રમાણે, પછી-પછીનું ન બને તો, પૂર્વ-પૂર્વની એટલે કે પહેલાં-પહેલાંની સ્થિતિ નિષ્ફળ બને : (વિષયોનું) નિવારણ એ જ પરમ તૃપ્તિ છે, જે, સ્વયં અનુપમ આનંદરૂપ છે. (૪૨૧)
ટિપ્પણ :
કોઈ શાસ્ત્રીય ચર્ચા ચાલતી હોય ત્યારે, નિશ્ચિતક્રમ પ્રમાણે, આગળ પૂર્વવિવેકચૂડામણિ / ૮૨૩