________________
શરીર પ્રત્યે એને અહંભાવ-મમભાવ રહેતો જ નથી; એટલે એનાં પોષણનો વિચાર જ એને ક્યાંથી હુરે? બીજું, પરમાત્મ-મય બની ચૂકેલા એ મહાનુભાવને તો પૂરી પ્રતીતિ છે કે શરીરનાં જન્મ-પોષણ-અંત વગેરે સહુ બાબતો પ્રારબ્ધને જ, સંપૂર્ણરીતે, આધીન છે; એમાં મનુષ્ય પૂરેપૂરો લાચાર (Helpless) છે, તો પછી, એ શરીરનાં આધિ-વ્યાધિ-ઉપાધિમાં, એવો જ્ઞાની-પુરુષ શા માટે સંડોવાય? ત્રીજું, અને સૌથી મહત્ત્વનું સત્ય તો એ છે કે પરમાત્માને, પોતાના સ્વરૂપે જાણી-સમજી-અનુભવી લીધા પછી (ઉડ્ડીનન્દ માત્માનું સ્વ-સ્વરૂપતિ: વિજ્ઞાય), મનુષ્ય માટે, એનાથી વધીને, બીજી કઈ ઈચ્છા બાકી રહે, અન્ય કયો હેતુ સંપન્ન કરવાનો શેષ રહે કે તેણે આવી હીન કોટિની ભાંજગડમાં પડવાની જરૂર રહે ?
આખોયે શ્લોક “કાકુપ્રશ્ન’નાં રૂપમાં છે, એટલે તે પ્રશ્નનો સચોટ ઉત્તર, તે પ્રશ્ન પોતે જ આપી દે છે; એટલું જ નહીં, પરંતુ અહીંનો આ પ્રશ્ન, બૃહદારણ્યકઉપનિષદમાં, યાજ્ઞવલ્ફયના આવા જ મૂળ કાકુપ્રશ્નનો પડઘો છે :
आत्मानं चेद् विजानीयात् अयं अस्मि इति पूरुषः । હિં રૂછન વચ્ચે વામા શરીર અનુસં ૪, ૪, ૧૨ /
(“જો મનુષ્ય “હું જ તે આત્મા છું' - એમ જાણી લે, તો પછી, શી ઇચ્છાથી અને કઈ કામના માટે, તે, શરીરની પાછળ સંતાપ પામે ?”).
શ્લોકનો છંદ અનુષુપ (૪૧૮)
૪૧૯ संसिद्धस्य फलं त्वेतज्जीवन्मुक्तस्य योगिनः ।
बहिरन्तः सदानन्दरसास्वादनमात्मनि ॥४१९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સંસિદ્ધસ્ય ફલ ત્વતજીવન્મુક્તસ્ય યોગિનઃ |
બહિરન્તઃ સદાનન્દરસાસ્વાદનમાત્મનિ ૪૧લા શ્લોકનો ગદ્ય અન્વય :
आत्मनि बहिः अन्तः (च) सदा-आनन्द-रस-आस्वादनं, एतत् संसिद्धस्य નીવભુ યોનિઃ તુ મi (ગીત) ૪૨ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યોનિઃ તુ તત્ (તિ) | - યોગી માટેનું ફળ તો
૮૧૮ | વિવેકચૂડામણિ