________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
અખંડાનન્દમાત્માનું વિજ્ઞાય સ્વસ્વરૂપતઃ । કિમિચ્છન્ કસ્ય વા હેતોĚ ં પુષ્ણાતિ તત્ત્વવિત્ ॥૪૧૮
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
अखण्ड-आनन्दं आत्मानं स्व-स्वरूपतः विज्ञाय तत्त्ववित् किं इच्छन् कस्य वा हेतोः देहं पुष्णाति ? ॥४१८॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તત્ત્વવિદ્ વિ ફ∞ન્ સ્ય વા દેતો: વેઢું પુષ્પાતિ ? । પુષ્પાતિ એટલે, પોષે, પોષણ કરે, ટકાવી રાખે, લાલન-પાલન કરે, રક્ષણ કરે. િ ફન ? શાની ઇચ્છાથી ? કઈ ઇચ્છાથી ? (રેંન્દ્ - ધાતુનું વર્તમાન-કૃદંત, પુલિંગ, પ્રથમા વિભક્તિ, એકવચનનું રૂપ). સ્ય વા દેતો ? કયા હેતુ માટે ? ક્યાં કારણથી ? શા પ્રયોજનથી ?
તત્ત્વજ્ઞાની વિશે આવો સવાલ ઊભો કરવાનું કારણ શું ? આત્માનં વિશાય । આત્માને જાણ્યા પછી, જાણી લીધા પછી, એનું જ્ઞાન પામ્યા પછી. આત્મા કેવો છે ? અવન્ડ-આનન્દ્વમ્ । અખંડ-આનંદ-સ્વરૂપ, અખંડ-આનંદમય. કેવી રીતે જાણ્યા પછી ? સ્વ-સ્વરૂપતઃ । પોતાનાં જ સ્વરૂપે, તે આત્મા પોતે જ છે, એમ સમજીને, એવી પ્રતીતિ સાથે. (૪૧૮)
અનુવાદ :
અખંડ-આનન્દ-સ્વરૂપ આત્માને પોતાનાં જ સ્વરૂપે જાણ્યા પછી, તત્ત્વજ્ઞાની (મનુષ્ય) શાની ઇચ્છાથી અને કયા હેતુ માટે દેહનું પોષણ કરે ? (૪૧૮) ટિપ્પણ :
સાચા અર્થમાં ‘તત્ત્વજ્ઞાની' એવા સિદ્ધ, અને દાર્શનિક-આધ્યાત્મિક દૃષ્ટિએ સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલા મનુષ્યના, સ્થૂલ શરીર પ્રત્યેના અભિગમનાં દઢીકરણ માટે, ગયા શ્લોકની જ ચર્ચા, અહીં પણ ચાલુ રહી છે.
શરીરનાં પાલન-પોષણ-રક્ષણ માટે, સામાન્ય માણસનાં મનમાં, અનેક ઇચ્છાઓ-હેતુઓ-કારણો-પ્રયોજનો હોય છે અને તેથી તેને સંપન્ન કરવા માટે, તે પ્રયત્નપૂર્વક એવી પ્રવૃત્તિઓ પણ કરતો હોય છે; પરંતુ આ તો, મોક્ષાર્થી સાધક માટે, એક અનુકરણીય આદર્શરૂપ બની રહે એવા, વિરલ મહાત્માની વાત છે : પહેલી વાત તો એ કે સચ્ચિદાનંદ આત્માને નિજ-સ્વરૂપે જ જાણી લીધા પછી, સ્થૂલ વિવેકચૂડામણિ | ૮૧૭
ફર્મા - પર