________________
સત્ય-અસત્ય. નિત્ય-અનિત્ય, ધર્મ-અધર્મ વગેરે વચ્ચેના ભેદની સમજણ. આવી સમજણ ધરાવનાર વ્યક્તિ “વિવેકી' (વિનિ ) કહેવાય છે. વિ+રં (વિરાગ હોવો) એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંત, વિરજી, એના પરથી બનેલું નામ વિના, અને એના પરથી બનેલું ભાવવાચક નામ વૈરાગ્ય. વિર એટલે વૈરાગ્યવાન વ્યક્તિ, અમરિશનિનઃ વેદાન્ત વિદ્યાના બે પ્રકારનાં સાધનો છે : “બહિરંગ' (બાહ્ય) અને અંતરંગ'. એ બંનેની સવિસ્તર સમજૂતી હવે પછી આપવામાં આવશે. બ્રહ્મવિદ્યા માટેનાં “બહિરંગ' સાધનો આ પ્રમાણે ચાર (“ચતુષ્ટય') છે :
(૧) વિવેક : પરસ્પર-વિરોધી ભાવો વચ્ચેના ભેદની પૂરી-પાકી સમજ; (૨) વૈરાગ્યઃ આ લોક તથા પરલોકમાંના ભોગો પ્રત્યે વિરાગ, અનાસક્તિ, | (૩) ષસંપત્તિ : આત્માની પ્રસન્નતા માટેની સંપત્તિનાં છ અંગો આટલાં : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ;
(૪) મુમુક્ષા : મોક્ષપ્રાપ્તિ માટેની ઊંડી, સંનિષ્ઠ ઇચ્છા:
આ ચાર સાધનોને આત્મસાત્ કરવાં, એ બ્રહ્મજિજ્ઞાસા માટેની અનિવાર્ય પૂર્વભૂમિકા ગણાય છે. ત્યારપછી જ “અંતરંગ સાધનો મેળવવાની પાત્રતા મળે છે. આ “અતંરંગ' સાધનો, આ પ્રમાણે ત્રણ છે :
* શ્રવણ, મનન અને નિદિધ્યાસન આ અંગેની વિસ્તૃત સમજૂતી હવે પછી આપવામાં આવશે. શમરિપુતિન:‘શમ, દમ વગેરે ઉપર્યુક્ત “ષટ્યપત્તિમાંના ગુણો ધરાવતી, એનાથી શોભતી વ્યક્તિ. *મુમુક્ષા' - ઉપર્યુક્ત “બહિરંગ' સાધનોમાંનું ચોથું સાધન, - મુક્તિ મેળવવાની અદમ્ય, પ્રબળ ઇચ્છા. (૧૭)
અનુવાદ : વિવેક, વૈરાગ્ય, શમ-દમ વગેરે ગુણોને આત્મસાત કરવા, અને મુક્તિની તીવ્ર ઇચ્છા (મુમુક્ષા), - એ(ચાર ધરાવનાર)ને જ બ્રહ્મની જિજ્ઞાસા માટેની યોગ્યતા માનવામાં આવી છે. (૧૭)
ટિપ્પણ:- બ્રહ્મને જાણવા માટેની જેને ઈચ્છા હોય, તેણે એ માટેની ઓછામાં ઓછી (Minimum) જે લાયકાત પ્રાપ્ત કરી લેવી જોઈએ, એનાં અંગોની સમજૂતી આપવાનું આ શ્લોકથી શરૂ થાય છે. આ શ્લોકમાંના એ માટેના પારિભાષિક શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૧૭).
૧૮ साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः ।
येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिध्यति ॥ १८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ
સાધનાન્યત્ર ચત્વારિ કથિતાનિ મનીષિભિઃ | યેષુ સર્વેવ સન્નિષ્ઠા થઇભાવે ન સિધ્યતિ / ૧૮ |
વિવેકચૂડામણિ | ૭૭