________________
પોતાનાં હૃદયમાં કરે છે, તેનું એક પ્રભાવક શબ્દચિત્ર શિષ્ય સમક્ષ મૂકીને, આચાર્યશ્રી, અહીં, તેને સીધી (Direct) ત્રણ આશાઓ જ આપે છે અને તે ત્રણેયનું, એક પછી એક, અનુપાલન થઈ શકે એવો સુનિશ્ચિત ક્રમ (Order) પણ સૂચવે છે.
પરંતુ તેમની ત્રીજી અને છેલ્લી આજ્ઞા સૌથી વધારે મહત્ત્વની હોવાથી, તેને, આપણે સૌપ્રથમ, સમજી લઈએ ઃ મનુષ્ય-જન્મ એ પરમાત્માની એક અનન્ય ભેટ છે અને તે તેમની કૃપાનું જ પરિણામ છે. આવી અમૂલ્ય ઈશ્વરી ભેટને સફળ-સાર્થક કરવી તે, પ્રત્યેક મનુષ્યનો પ્રથમ અને પરમ ધર્મ છે. મનુષ્ય જો તેની આ ફરજ ચૂકી જાય તો, એનું જીવન અને આયુષ્ય એળે ગયાં જ ગણાય.
તો પછી, આવી સાર્થકતા કેવી રીતે સિદ્ધ કરવી ? આ માટે, મનુષ્યનું સૌપ્રથમ કર્તવ્ય છે, આત્માનાં અખંડ વૈભવને જાણી લેવું તે. આત્માની આવી અખૂટ સમૃદ્ધિ અને એનું અનંત ઐશ્વર્ય, તો અને ત્યારે જ અનુભવી શકાય, જો અને જ્યારે માણસ પોતાનાં અંતઃકરણને આત્મસ્વરૂપમાં, એટલે કે સ્વરૂપભૂત પરમાત્મામાં સમાહિત કરી દે, સ્થિર કરી દે.
આમ કરવાથી, એનામાં એક પ્રકારની સાત્ત્વિક શક્તિનો આવિષ્કાર થાય છે, જેથી સંસારના કુસંસ્કારોની દુર્ગંધથી ગંધાતાં સર્વ બંધનોને છેદી નાખવાની તેનામાં હિંમત પ્રગટે છે.
અને આવાં બંધનોનો નાશ, એ જ મુક્તિ અને એ જ એનાં મનુષ્યત્વનું પરમ સાફલ્ય !
સમગ્ર ગ્રંથમાં, આચાર્યશ્રીએ, ‘મનુષ્ય'ના અર્થમાં, પુરુષ”-શબ્દ પ્રયોજ્યો છે, એટલે આ ‘પુંસ્વ’-શબ્દ ‘મનુષ્યત્વ’ના અર્થમાં તો છે જ, પરંતુ આ શબ્દમાંથી એક વધારાની અર્થચ્છાયાનો સંકેત પણ મળે છે, અને તે છે તેની હિંમતનો, તેનાં દૈવતનો, તેનાં સામર્થ્યનો, જેનાં કારણે જ તે પોતાનું આ કર્તવ્ય પ્રયત્નપૂર્વક (યત્નેન) પરિપૂર્ણ કરી શકે. ઉપનિષદના ઋષિએ આ જ અર્થમાં વા શબ્દ પ્રયોજ્યો
છે :
-
नायमात्मा बलहीनेन लभ्यः ।
આ પુસ્ત્વ એ જ રત્ન-સમાન પોતાના મનુષ્ય-જન્મને કૃતાર્થ કરવા માટેનું અમોઘ શસ્ત્ર !
–
શ્લોકની બીજી લીટીમાં, આત્માનં વિજોય । એવો જે આદેશ છે, તે, ઉપનિષદના ઋષિએ સૂચવેલાં આ કર્તવ્યનું જ સ્મરણ કરાવે છે ઃ આત્મા વા રે દૃષ્ટવ્ય:, તાવણ્ અરે વસ્તું અમૃતત્વમ્ । અને શ્લોકમાંની સતીપુખ્વ – એ આજ્ઞા તો, ગીતાની આ પંક્તિનો જ જાણે પડઘો પાડે છે :
-
વિવેકચૂડામણિ | ૮૦૫