________________
અદ્વિતીય અને અનન્ય, એકરૂપ, કેવલ-સ્વરૂપ. (૪૧૧). અનુવાદ :
અજર, અમર, આભાસ-રહિત, નક્કર વસ્તુ–સ્વરૂપ, મોજાંઓ-વિનાના નિશ્ચલ સમુદ્ર જેવું, નામ-રહિત, ત્રણેય ગુણોના વિકારો જેમાં શાંત થઈ ગયા છે તેવું; શાશ્વત, શાંત અને કેવલ-સ્વરૂપ, - એવા પૂર્ણ બ્રહ્મનો, જ્ઞાની મનુષ્ય, પોતાનાં હૃદયમાં, સમાધિ-સમયે અનુભવ કરે છે. (૪૧૧) ટિપ્પણ :
સાચો “વિદ્વાન તો તેને જ કહી શકાય, જેનાં સાધના-જીવનનો એકમાત્ર આદર્શ, પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ આનંદ, - એ જ હોય. અહીં, છેલ્લા ત્રણ શ્લોકો(૪૦૯-૪૧૦-૪૧૧)માં, આવા એક ધન્ય સાધકે, પોતાની સમાધિ-અવસ્થા દરમિયાન, અંતઃકરણમાં, પૂર્ણ બ્રહ્મની કરેલી અપરોક્ષ અનુભૂતિનું એક સુંદર અને કાવ્યમય શબ્દચિત્ર આચાર્યશ્રીએ આલેખ્યું છે.
આવાં આલેખનની પાછળ, આચાર્યશ્રીએ, આવા બે શુભ-ઉદેશો સેવ્યા જણાય છે : એક તો એ કે, આ પહેલાં જણાવ્યું છે તેમ, પોતાનો શિષ્ય પણ આવા બ્રહ્મસાક્ષાત્કારનો વિરેલા લાભ પામવા સભાગી બને; અને બીજું તો, સહુ કોઈ સાધકને, બ્રહ્મનું ધ્યાન ધરવાનો આદર્શ પ્રકાર, આ ચિત્રાત્મક આલેખનમાંથી સાંપડે, - એ હોઈ શકે.
શ્લોકનો છંદઃ માલિની (૪૧૧)
૪૧૨ समाहितान्तःकरणः . स्वरूपे
विलोकयात्मानमखण्डवैभवम् । विच्छिन्धि बन्धं भवगन्धगन्धितं
यलेन पुंस्त्वं सफलीकुरुष्व ॥४१२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સમાહિતાન્તકરણ સ્વરૂપે
વિલોકયાત્માનમખંડવૈભવમ્ | વિચ્છિબ્ધિ બધું ભવગધગન્ધિત
યત્નન પુર્વ સફલીકુરુષ્ય ll૪૧રા
વિવેચૂડામણિ | ૮૦૩