________________
આવી છે અને શ્લોકના બાકીના સર્વ શબ્દો, ચોથી પંક્તિમાંનાં બ્રહ્મનાં વિશેષણો તરીકે, યથાપૂર્વ, પ્રયોજવામાં આવ્યા છે અને તેમને, ‘દંડાન્વય’ પ્રમાણે, એ જ રીતે, અન્વિત કરવામાં આવ્યા છે. (૪૧૧)
શબ્દાર્થ :
બ્રહ્મનાં વિશેષણોનો અર્થ આ
-
અનમ્ । ક્ષય-અપક્ષયથી રહિત.
પ્રમાણે છે :
ના એટલે ઘડપણ,
રમ્ ।
-
અમમ્ । મરણ-રહિત, અમર્ત્ય, અવિનાશી.
અસ્ત-ગામાસ-વસ્તુ-સ્વરૂપમ્ । આભાસ-વિનાનું; જેમાંથી સર્વ આભાસી ભાવો અસ્ત થઈ ગયા છે એવું, - આભાસશૂન્ય; અને નક્કર વસ્તુ-સ્વરૂપ, અજ્ઞાનજન્મ સર્વ ભેદો જેમાંથી નષ્ટ થઈ ગયા છે તેવું, વાસ્તવિક ભાવ-રૂપ. સ્વિમિતસજિતરાશિપ્રમ્ । સુનિતાશિ એટલે જળના ભંડાર જેવો સમુદ્ર; સ્તિમિત એટલે અવિચળ, નિશ્ચલ, સ્તબ્ધ એવું, જેને માત્ર મોજાંઓ વગરના સમુદ્રનાં રૂપમાં જણાવી શકાય (પ્રહ્મમ્). સામાન્ય રીતે, સમુદ્રમાં જળનાં વિશાળ મોજાંઓ સતત ઊછળતાં જ હોય; વિદ્વાન જે બ્રહ્મની અનુભૂતિ કરે છે તે એવા સાગર જેવું છે, જેનાં સર્વ વાસનારૂપી મોજાં સંપૂર્ણરીતે શમી ગયાં હોય અને જે નિશ્ચલ બની ગયાં હોય. આ વિશેષણ સમજવા માટે શિષ્ય પાસે થોડી કલ્પના-શક્તિની અપેક્ષા રાખવામાં આવે.
-
ઘડપણ વિનાનું; એટલે કે સર્વ પ્રકારના
આધ્યાવિહીનમ્ । આવ્યા એટલે વ્યાખ્યા, નામ; વ્યાખ્યા-વિનાનું, નામરહિત. નામ તો તેને જ આપી શકાય અથવા, વ્યાખ્યા તો તેની જ કરી શકાય, જેનો કોઈ વર્ગ(Class)માં સમાવેશ કરાયો હોય. બ્રહ્મ તો સર્વ પ્રકારના વર્ગો અને સમૂહોથી પર છે, તેથી તે અ-વ્યાખ્યેય અને નામ-વિહીન છે. ‘પ્રવ્ય-આલ્બા'માંનો પ્રાસાનુપ્રાસ-અલંકાર અ-યત્ન-સિદ્ધ (Effortless) છે અને તેથી સવિશેષ આનંદપ્રદ
છે.
શમિત-મુળ-વિદ્યાર્મ્ । પ્રકૃતિના ત્રણેય ગુણોના વિકારો જ્યાં શાંત ગઈ ગયા છે તેવું, - એટલે કે નિર્ગુણ, નિર્વિકાર, પરિવર્તન-રહિત.
શાશ્વતમ્ । કાળની મર્યાદાઓ વિનાનું, અનાદિસિદ્ધ (Eternal).
શાન્તમ્ । જ્યાં ક્ષોભ-વિક્ષોભ હોય, ત્યાં જ અશાંતિ હોય. બ્રહ્મ તો સદા અક્ષુબ્ધ જ હોય છે, તેથી શાંતિ-સ્વરૂપ, મૂર્તિમંત શાંતિ.
જેના સંદર્ભમાં કોઈ ‘બીજું’ (દ્વિતીય) અને (અન્ય) નથી તેવું,
૮૦૨ / વિવેકચૂડામણિ