________________
ટિપ્પણ :
બ્રહ્મનાં વિશેષણો તરીકે યોજાયેલા, શ્લોકમાંના બધા શબ્દોને, તેની સાથેની સર્વ અર્થચ્છાયાઓ સહિત, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર, સમજાવ્યા હોવાથી, શ્લોકનો અર્થ, સરળ અને સુબોધ બન્યો હોવાથી, અહીં કશું વિશેષ ઊમેરવાનું રહેતું નથી. માત્ર એક જ વાત કહેવાની રહે છે : શ્લોકમાંનો વિદ્વાન, જો, આ રીતે પરિપૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરી શકતો હોય તો, આચાર્યશ્રી, પોતાના સાધકશિષ્યને સૂચવે છે કે, “તું પણ આવો આનંદાનુભવ કર !” શ્લોકનો છંદ : માલિની (૪૦૯)
૪૧૦
प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं
समरसमसमानं निगमवचनसिद्धं नित्यमस्मत्प्रतिष्ठं
मानसम्बन्धदूरम्
हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ ॥ ४१० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રકૃતિવિકૃતિશૂન્યં ભાવનાતીતભાવં
સમરસમસમાનં માનસંબંધદૂરમ્ ।
નિગમવચનસિદ્ધ નિત્યમસ્મપ્રતિષ્ઠ
હૃદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાૌ ॥૪૧૦॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
આ શ્લોકમાં પણ, ગયા શ્લોકની ચોથી પંક્તિ પુનરુક્ત કરવામાં આવી છે અને શ્લોકમાંના બાકીના બધા શબ્દો, ચોથી પંક્તિમાંનાં બ્રહ્મનાં વિશેષણો તરીકે, બ્રહ્મની વિશેષતાને નિરૂપે છે; એટલું જ નહીં, પરંતુ ગયા શ્લોકની જેમ જ અહીં પણ ‘દંડાન્વય' જ છે.
આ પછીના શ્લોક-૪૧૧માં પણ, શ્લોકની રચના અને ઇંડાન્વય’ આ જ પ્રમાણે ચાલુ રહે છે. (૪૧૦)
શબ્દાર્થ :
વિદ્વાન એટલે કે જ્ઞાની મનુષ્ય, જે પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે છે, તેનાં વિશેષણોમાં વ્યક્ત થતી વિશેષતાઓ આ પ્રમાણે છે :
પ્રવૃતિ-વિષ્કૃતિ-શૂન્યમ્ । – પ્રકૃતિના વિકારોથી રહિત, સર્વ પ્રકારનાં પરિવર્તનો વિવેકચૂડામણિ / ૭૯૯