________________
આથી પ્રત્યફ ચૈતન્યસ્વરૂપ પરમાત્મામાં તું ચિત્તને સ્થિર કરી દે. (૪૦૮) ટિપ્પણ?
અયં વિન્ધ: (આ વિકલ્પ) એટલે તે “વિકલ્પ', જેનો ઉલ્લેખ ગયાછેલ્લા શ્લોકમાં કરવામાં આવ્યો હતો અને જેની સમજૂતી એ રીતે કરવામાં આવી હતી કે તે, ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી ભ્રાંતિ ચાલુ રહે છે (વિકલ્પો પ્રાન્તિ નીવન: l). વળી, આપણે જોયું તે પ્રમાણે, “યોગ-દર્શનની પરિભાષામાં, વિકલ્પ' એટલે કોઈ પણ વસ્તુનું એવું જ્ઞાન (હકીકતમાં તો, “અજ્ઞાન” !), જેના વિશે ચિત્તમાં કશોક આકાર “ભાસમાન” થાય, પરંતુ જેનું અસ્તિત્વ ક્યાંય હોય જ નહીં ! ટૂંકમાં, “રજુસર્પ-દાંતમાંનો “સાપ એ જ વિકલ્પ, જે, દોરડા પર માત્ર આરોપિત હતો, ખરેખર તો ક્યાંય હતો જ નહીં : વિકલ્પનું સ્વરૂપ એટલે જ ભ્રાંતિ !
આ વિકલ્પનું અહીં વિશેષ વિવરણ કરવામાં આવ્યું છે. વિશ7-શબ્દની વ્યુત્પત્તિ જ એ કે એ સંજ્ઞાવાળી વસ્તુ વિશે વિવિધ કલ્પના કરવામાં આવે : વિવિધ વન્ય તિ ! અને આવા વિવિધ સંકલ્પ-વિકલ્પો તો ચિત્તમાં જ કરવામાં આવે, એનું અસ્તિત્વ જ ચિત્તને કારણે હોય છે (વિમૂત:).
આ સંસાર પણ વિકલ્પમય જ છે, કારણ કે તે મિથ્યા હોવા છતાં પણ તેની જૂઠી કલ્પના ચિત્તમાં જ ઉદ્ભવે છે. આમ, જો વિકલ્પનું જન્મસ્થાન “ચિત્ત' જ હોય તો, ચિત્તના અભાવમાં, એટલે કે જો ચિત્ત ન હોય તો (ત્તિ-માવે), કોઈ વિકલ્પ, ભેદ, ભ્રાંતિ વગેરે સંભવે જ નહીં (ન શન વિન્ધ: સંમતિ ) ! ચિત્ત જ ન હોય તો, વિકલ્પ કેવો ? ક્યાંથી ?
એટલે વિકલ્પના નિવારણ માટેનો માત્ર એક જ “વિકલ્પ' (Option, Alternative) એ કે ચિત્તનું જ નિવારણ, ચિત્તનો જ નાશ ! ચિત્ત હોય તો, ગમે તેવા, સાચા-ખોટા-સારા-નરસા સંકલ્પ-વિકલ્પો, તર્ક-વિતર્કોનો ઉદ્ભવ થાયને ! પરંતુ મનુષ્ય છે, જીવન છે, શરીર છે, એટલે એની સાથે જન્મથી જ સંકળાયેલું ચિત્ત તો હોય જ ને ! એનો નાશ' તો થઈ શકે જ નહીં !
એથી જ, આચાર્યશ્રીએ, શિષ્યને સૂચવ્યું છે કે “તારી વાત સાચી છે કે તેનો નાશ ન થઈ શકે, પરંતુ તેનું સ્થળાંતર (Transfer) તો થઈ શકે ને ! તેને, તેની મૂળ જગાએથી ઊંચકી લઈને, પરમાત્મામાં (૫ત્મનિ) સ્થિર કરી દે, એ જ પ્રત્યંગાત્મ-રૂપ બ્રહે છે, એમાં જ એને સમાધિસ્થ કરી દે! (સમાધેદિ)'. તેમાં સ્થિર થઈ ગયા પછી, પરમતત્ત્વના સંબંધમાં આવ્યા પછી, એનું સંપૂર્ણ સ્વરૂપ-પરિવર્તન
૭૯૬ | વિવેકચૂડામણિ