________________
ટિપ્પણ:
વિશ્વ, ખરેખર, તો છે જ નહીં, એ સનાતન સત્ય તો “નાભિથ્થા’ | - એ વિધાનમાં કહી દેવામાં આવ્યું જ છે અને એની સાથે જ, હકીકતમાં, એ પહેલાં, ‘બ્રા સત્ય'- એ એવાં જ સત્યની સ્થાપના પણ કરી દેવામાં આવી જ છે; પણ તો પછી, એટલે કે જગત જો ખરેખર મિથ્યા હોય તો, તે દેખાય છે કેમ ? - એ મૂંઝવણભર્યો સવાલ છે, સામાન્ય માણસ(A Lay man)નો. | વેદાંત-દર્શન આ મૂંઝવણનું સમાધાન એક જ રીતે કરે છે અને તે છે અજ્ઞાન; સાચાં જ્ઞાનનો, આત્મજ્ઞાનનો અભાવ. એકમાત્ર સત્ય તો બ્રહ્મ જ છે, બ્રહ્મ જ મૂળભૂત અધિષ્ઠાન છે, પરંતુ જે નથી” એવાં જગતનું બ્રહ્મની ઉપર આરોપણ કરવામાં આવ્યું છે અને જે કંઈ, ક્યાંય પણ “આરોપિત હોય, તે “આરોપિત” વસ્તુનું પ્રાતિભાસિક અસ્તિત્વ પણ પેલાં “અધિષ્ઠાનને જ આભારી છે. પ્રખ્યાત રજુસર્પન્યાયમાં, સાપ તો ક્યારેય હોતો નથી અને હશે પણ નહીં; એનાં અધિષ્ઠાન-ભૂત દોરડું જ સાચું છે; સત્ છે; અંધારું દૂર થતાં જ, સાપ ક્યાંય રહા જ નહીં, કારણ કે તે “અસ” હતો : ગીતાએ આ જ વાત બહુ સરળ ભાષામાં કઈ છે કે જે “મ' હોય તેનો કદી “ભાવ” (અસ્તિત્વ, હાજરી) હોતો નથી અને કે સત્' છે તેનો કદી “અભાવ' (અસ્તિત્વ ન હોવું તે, ગેરહાજરી) હોતો નથી : नासतो (न असतः) विद्यते भावः, नाभावो (न अभावः) विद्यते सतः ॥
(, ૧૬) તાત્પર્ય એ છે કે ત્રણેય કાળમાં જેનો અસંદિગ્ધ “ભાવ” હોય છે તે તો, જે હિંમેશાં “સત' છે, એવા “અધિષ્ઠાન'નું જ. સાપ તો, અધિષ્ઠાનરૂપ દોરડામાં આરોપિત જ હતો, ભ્રાંતિ દૂર થતાં, તેનો દોરડામાં જ લય થઈ ગયો !
એ જ રીતે, પાણીનાં ટીપાં, - અરે, એક ટીપુંય, મૃગજળમાં હોતું જ નથી : જલબિંદુનો મિથ્યાભાસ દૂર કરવામાં આવે કે તરત જ, મૃગજળ અને એના પર આરોપિત જલબિંદુઓ બંને ક્યાંય રહેતાં જ નથી !
અને એ જ રીતે, પરમતત્ત્વનું જ્ઞાન થતાં (પરંતત્વનોધા), એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત તો બ્રહ્મ જ છે, એવાં આત્મજ્ઞાનનો ઉદય થતાં અને પરિણામે, અજ્ઞાનનો નાશ થતાં, સસ્વરૂપ એવાં બ્રહ્મમાં વિશ્વ ક્યાંય રહેતું જ નથી : વિશ્વ તો માત્ર, અધિષ્ઠાનરૂપ બ્રહ્મ પર “આરોપિત' જ હતું; તે મિથ્યા હતું, મત હતું, તે ક્યાંય રહ્યું જ નહીં, - સદા રહે છે તે તો “આરોપણ” માટેનું મૂળ પેલું “અધિષ્ઠાન', - બ્રહ્મ જ ! નિષ્કર્ષ આ એક જ કે ભ્રાંતિને કારણે ગ્રહણ કરવામાં આવેલી કોઈ પણ
વિવેકચૂડામણિ | ૭૮૯