________________
વસ્તુ, ત્રણેય કાળમાં ટકી શકતી નથી, રહેતી નથી, - હોતી જ નથી. શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૦૫)
૪૦૬
1
मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः इति ब्रूते श्रुतिः साक्षात् सुषुप्तावनुभूयते ॥ ४०६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
માયામાત્રમિદં ચૈતમàતં પરમાર્થઃ ।
ઇતિ શ્રૃતે શ્રુતિ સાક્ષાત્ સુષુપ્તાવનુભૂયતે ॥૪૦૬॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
રૂવું ઢેતા માવામાત્ર (અસ્તિ), પરમાર્થત: (તુ) અદ્વૈત (વ અસ્તિ); કૃતિ શ્રુતિ: ત્રૂતે; (તત્ ~) સુષુપ્તૌ સાક્ષાત્ અનુભૂયતે ૪૦ાા
શબ્દાર્થ :
શ્લોકમાં ચાર નાનાં-નાનાં સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) તું ધૈર્ત માયામાર્ગ (અસ્તિ) । દ્વૈત' એટલે કે આ જગત; ‘માયા’ એટલે તેવી વસ્તુ, જે દેખાય ખરી, પ્રતીત થાય, પરંતુ હકીકતમાં જેની ‘સત્તા' (Existence) હોતી જ નથી, જેને પોતાનું અસ્તિત્વ હોતું જ નથી. જગતરૂપી આ ચૈત આવી માત્ર માયા જ છે. .
(૨) પરમાર્થત: (તુ) અદ્વૈત (ણ્વ અસ્તિ) । પરમાર્થતઃ એટલે વાસ્તવમાં, ખરેખર, વાસ્તવિકતામાં, હકીકતમાં, સાચેસાચ; - ખરેખર તો, અદ્વૈતનું જ અસ્તિત્વ છે. પરંતુ આનું ‘પ્રમાણ' (Authority) શું ? આવાં વિધાનની ‘પ્રમાણભૂતતા’ શી ? કેટલી ?
(૩) કૃતિ શ્રુતિઃ વ્રૂતે । ત્રૂતે એટલે કહે છે, જણાવે છે, જાહેર કરે છે. શ્રુતિ એટલે વેદોથી માંડીને ઉપનિષદો સુધીનું સમગ્ર વૈદિક સાહિત્ય, - જેનું નિર્માણ આર્ષ દૃષ્ટિ ધરાવતા મનીષી-ઋષિઓએ કર્યું હોવાથી, તેને ‘શ્રુતિ’-પ્રમાણ, અથવા ‘શબ્દ’પ્રમાણ, એવાં પ્રમાણ’નો દરજ્જો આપવામાં આવ્યો છે; અને જે, ભારતીય દાર્શનિકઆધ્યાત્મિક પરંપરામાં સદા સર્વ-સ્વીકૃત અને સર્વ-સંમત રહ્યું છે. પરંતુ આ તો એક સિદ્ધાંત (Theory) થયો; એ અનુભવ-સિદ્ધ ખરું ? એનો જવાબ હવે પછીનાં છેલ્લાં ૭૯૦ | વિવેકચૂડામણિ