________________
આર્ષ-દર્શનના નિષ્કર્ષરૂપે આ ચાર “મહાવાક્યો” તો નિરૂપ્યાં જ છે :
(૧) પ્રજ્ઞાનં બ્રહ્મ | (ત્રસ્વેદ, ઐતરેય-ઉપનિષદ) : “આત્મા અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે.”
(૨) મદં હાર્મીિ ! (યજુર્વેદ, બૃહદારણ્યક-ઉપનિષદ) : “હું (જીવ) બ્રહ્મ
r (૩) તત્ત્વમસિ . (સામવેદ, છાન્દોગ્ય-ઉપનિષદ) : “તું (જીવ) તે (બ્રહ્મ)
છે. •
(૪) અયમાત્મા બ્રહ્મ ! (અથર્વવેદ, માંડૂક્ય-ઉપનિષદ) : “આ આત્મા બ્રહ્મ છે.”
અને પછી તો, વેદો પછીના આરણ્યકો અને ઉપનિષદો વગેરે વૈદિક સાહિત્યમાં પણ આવાં અનેક શ્રુતિવચનો મળતાં જ રહ્યાં છે :
રૂટું સર્વ યયમાત્મા | (“આ બધું જ છે, તે આત્મા (જ) છે.”) મા સર્વ I (“આત્મા જ આ સઘળું છે.”)
મેવદ્વિતીયમ્ I (“(બ્રહ્મ) એક અને અદ્વિતીય જ છે.”). सर्वं खलु इदं ब्रह्म, तज्जत्वात्, तल्लयत्वात्, तदनत्वात् इति शान्तमुपासीत ।
(“આ સઘળું, ખરેખર, બ્રહ્મ છે : તેમાંથી જ આ જગ્યું છે તેથી, તેમાં જ આ લય પામે છે તેથી; અને તેમાં જ આ ચેષ્ટા કરે છે તેથી, તેની શાંતભાવે ઉપાસના કરવી.”) येन इमानि भूतानि जायन्ते, जातानि जीवन्ति, यत्प्रयन्ति, तद् ब्रह्म ।
(“જેમાંથી આ બધાં ભૂતો જન્મે છે, જેના વડે જન્મેલાં જીવે છે અને જેમાં તે અંતે પ્રયાણ કરે છે, - તે બ્રહ્મ છે.”).
અને પછી તો, આ સર્વ શ્રુતિવાક્યોનો ઉપસંહાર કરતાં, આચાર્યશ્રીએ પોતે જ કહ્યું કે “આ બાબતમાં, ફેલાવી-ફેલાવીને વધારે શું કહેવું ? (વજીવ્ય !િ વિદ્યતેત્ર વ€ધા ?) વધારે કહેવાની શી જરૂર છે? કરોડો ગ્રંથોમાં જે કંઈ આ વિશે કહેવાઈ ગયું છે, તે હું માત્ર એક અર્ધા-શ્લોકમાં આ પ્રમાણે કહું છું : બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મ જ છે, બીજું કશું જ નથી !”
श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः ।
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ॥ પરંતુ આ બધાંની ફલશ્રુતિ શી ?” - કોઈ એમ પૂછે તો, તેનો જવાબ પણ એટલો જ સંક્ષિપ્ત અને છતાં સંપૂર્ણ આ પ્રમાણે છે : જેટલું જાણવા જેવું છે, એ
૭૬૮ | વિવેકચૂડામણિ