________________
આ વાત સમજાવવા માટે પરાપૂર્વથી સુનિશ્ચિત થયેલું દૃષ્ટાંત (Stock Example) આ પ્રમાણે આપવામાં આવે છે ઃ રાતનાં અંધારામાં, રસ્તામાં પડેલું દોરડું (રજ્જુ) આપણને ભ્રમ-શ્રાન્તિનાં કારણે ગૂંચળું વળીને પડેલા સાપ (સર્પ) જેવું લાગે (વિતા), ડરી જઈએ (i), પણ જેવો દીવાનો કે બેટરીનો પ્રકાશ એના પર ફેંકીએ કે તરત જ, આપણને દોરડાનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય (રબ્લુ-તત્ત્વ-અવધારળા) કે ‘અરે, આ કાંઈ સાપ નથી, પણ માત્ર દોરડું જ છે !' એટલે, પ્રકાશને પરિણામે સાંપડેલી સમ્યક્ સમજણ વડે (રજ્જુ-તત્ત્વ-અવધારળા) પેલી મોટી આફત(મહાયુ:લ)નો વિનાશ થઈ જાય !
તત્ત્વજ્ઞાન(Philosophy)ની પરિભાષામાં, ઉપર્યુક્ત ઘટનાને ‘રજ્જુસર્પન્યાય’ તરીકે ઓળખવામાં આવે છે.
આ શ્લોકમાં, આ ઉપર્યુક્ત દૃષ્ટાંતનું નિરૂપણ મળે છે.
પણ આ દૃષ્ટાંત વડે પેલો સિદ્ધાંત કઈ રીતે સમજાય ? આ સવાલનો જવાબ આ પ્રમાણે છે : મૂળ વસ્તુ શી હતી ? દોરડું. એ ક્યાં રૂપે નજરે પડ્યું ? સાપનાં રૂપમાં, શા કારણે ? આવી ભ્રમણા કેમ થવા પામી ? અંધારાને કારણે. એ ભ્રમણાને કારણે પેદા થયેલું સાપના ભયરૂપી મહાદુ:ખ શેં ટળ્યું ? પ્રકાશને લીધે.
બસ, તો એ જ રીતે, આખા બ્રહ્માંડમાં, સર્વત્ર એકમાત્ર સત્ય તત્ત્વ બ્રહ્મ જ (વઘ સત્ય) છે. છે તો સર્વત્ર આ એક બ્રહ્મ જ, તો પછી એમાં ‘જગત’ની ભ્રમણા કેમ ઉત્પન્ન થઈ ? સમ્યગ્-જ્ઞાન રૂપી પ્રકાશ ન્હોતો અને બધે અજ્ઞાનરૂપી અંધારું હતું તેથી. પરંતુ ‘જીવાત્મા એ પરમાત્મા જ છે, બીજું કશું જ નથી’(જ્ઞીવો દ્રૌવ નાપ:), એ પ્રમાણેના સમ્યગ્-જ્ઞાનનો પ્રકાશ જો મગજમાં પ્રગટે, તો વેદાન્તનો પેલો ગહન લાગતો સિદ્ધાંત સહેલો-સટ્ટ થઈ જાય અને તરત જ ગળે ઊતરી જાય ! અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા આપણે સહુ સામાન્ય સાધકો પણ એકરારપૂર્વક બોલી ઊઠીએ કે “એકમાત્ર બ્રહ્મનું ‘સત્ય’-પણું અને જગતનું ‘મિથ્યા’પણું હવે અમને પૂરેપૂરું સમજાઈ ગયું !''
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨) ૧૩
अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः । न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
-
અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટો વિચારેણ હિતોક્તિતઃ ।
ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામશતેન વા | ૧૩ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- અર્થસ્ય નિશ્ચય: વિવારેળ હિતોńિત: (વા)
કૃષ્ણ:, ન સ્રાનન, 7 નેન, પ્રાપ્યાયામશતેન વા (ત્તિ 7 મતિ) | ૧૨ ||
૭૨ / વિવેકચૂડામણિ