________________
અનુવાદ – આત્મચિંતનમાં તત્પર થયેલા વિવેકશીલ શુદ્ધ બુદ્ધિવાળા પંડિતોએ, બીજાં બધાં કર્મોનો ત્યાગ કરીને, સંસારરૂપી આ બંધનમાંથી મુક્ત થવા માટે, પ્રયત્ન કરવો જોઈએ. (૧૦)
ટિપ્પણ:- “મોક્ષ' એટલે મુક્તિ. શામાંથી મુક્તિ ? જન્મ-મરણના ચક્કરમાંથી. અને એ મુક્તિની આડે આવતું “બંધન એટલે જ આ સંસારી જીવનવ્યવહારનું બંધન. પણ આ બંધનમાંથી છૂટાય કેવી રીતે ? એક જ જવાબ : આત્મપરમાત્મચિંતન સિવાયનાં બીજાં બધાં જ કર્મોને છોડી દેવાં ! શ્લોકનો છંદ : અનુરુપ (૧૦)
* ૧૧ चितस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये ।
वस्तुसिद्धिर्विचारेण न किंचित्कर्मकोटिभिः ॥ ११ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
ચિત્તસ્ય શુદ્ધયે કર્મ ન તુ વસ્તુપલબ્ધયે .
વસ્તુસિદ્ધિર્વિચારેણ ન કિંચિત્કર્મકોટિભિઃ || ૧૧ છે : શ્લોકનો ગદ્ય અન્વય – વિત્ત શુદ્ધયે (અવશ્યમેવ સફીય મવતિ), तु (परं तु तद्) वस्तूपलब्धये न (कारणं भवति); वस्तुसिद्धिः (तु) विचारेण (ાવ સિધ્ધતિ), કર્મચિમ: (પિ સા) ન ફિવિત્ (પિ સાધ્યા મવતિ) (38)
શબ્દાર્થ – વસ્ત-શબ્દનો અહીં સામાન્ય લોકપ્રચલિત અર્થ નથી. શ્રીશંકરાચાર્યને મન, વસ્તુ (Really Substantial) તો એક જ : આત્મજ્ઞાન ! બાકીનું બધું નિરર્થક, ક્ષુલ્લક, શુદ્ર ! અને આની ઉપલબ્ધિ ૩પબ્ધિ (એટલે કે પ્રાપ્તિ) શાથી થાય ? માત્ર વિવારે, – ચિંતન-મનન કરવાથી; }ર્મોટિમ: - કરોડો કર્મથી પણ નહીં, (). (૧૧)
અનુવાદ - કર્મ તો ચિત્તની શુદ્ધિ માટે છે, આત્મજ્ઞાન (વસ્તુ) મેળવવા માટે તે (જરા પણ સહાયક) નથી. “વસ્તુની સિદ્ધિ તો ચિંતન-મનનથી જ શક્ય બને), કરોડો કર્મો (પણ એમાં) કશા જ (કામનાં) નહીં. (૧૧)
ટિપ્પણ:- મોક્ષની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન (‘વસ્તુ) એક અનિવાર્ય પૂર્વભૂમિકા છે, પરંતુ જગતમાં મનુષ્ય જન્મ્યો, એટલે એને નિયત થયેલાં (Assigned) કર્મો તો કરવાનાં જ રહે, એનું શું ? આચાર્યશ્રીનો આ બાબતમાં એક સુનિશ્ચિત અભિપ્રાય છે : આવાં કર્મો અવશ્ય કરવાં, પરંતુ જીવનનું તે અંતિમ ધ્યેય નથી; અંતિમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિ માટેનું, “Must” - કોટિનું, આત્મજ્ઞાન. તો પછી, આ કર્મનું ખરૂં પ્રયોજન શું? એનું પ્રયોજન છે જ, અને એ પ્રયોજન એટલે ચિત્તની વિશુદ્ધિ, મનની નિર્મળતા, પવિત્રતા. બસ, આથી વિશેષ, કર્મનો મહિમા કશો જ નહીં, આચાર્યશ્રીની દષ્ટિએ ! પરંતુ આપણે જરા શાંતિપૂર્વક વિચારીએ તો, આ,
૭૦ | વિવેકચૂડામણિ