________________
આ પ્રમાણે છે : “જ્યારે સાધક વિષય-વાસનાઓ અને કર્મોમાં આસક્ત ન થાય અને એ રીતે એ પોતાના સર્વ સંકલ્પોનો સંન્યાસી બને, ત્યાગી બને ત્યારે !!)
ટૂંકમાં, “યોગારૂઢ' સ્થિતિ એટલે સંપૂર્ણ માનસિક શાંતિ-સમાધાન, જે બાહ્ય આચારશુદ્ધિ પછી જ મળી શકે.
અને આવી આધ્યાત્મિક બાબતમાં આપણને બીજું કોઈ કશી જ મદદ ન કરી શકે. આપણે જ, સ્વયં આપણા ઉદ્ધારક બનવાનું છે, એવો આપણા શાસ્ત્રોનો આદેશ છે અને તેથી જ, ગીતાએ, ત્યારપછીના જ શ્લોકમાં, “યોગારૂઢ બનેલા સાધકને, આવો જ અનુરોધ કર્યો છે -
- ડેક્કલાત્મનાત્માનમ્ (૬, ) આચાર્યશ્રીએ પણ, તેથી જ ગીતાનાં આ મૂળ શ્લોક-ચરણને, એ જ સ્વરૂપે, એમાં કશો પણ ફેરફાર કર્યા વિના જ, અહીં ગોઠવી દીધું છે.
સ્વ. કવિશ્રી વેણીભાઈ પુરોહિતની આ ગીત-પંક્તિઓ, આ અનુસંધાનમાં, હેજે યાદ આવી જાય છે :
કોઈ તો જાગે ! કોઈ શું જાગે ? તું જ જાગ્યો તો તું જ જા આગે !”
શ્લોકનો છંદ : અનુષુપ (૯)
૧O.
संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये ।
यत्यतां पण्डितैर्धी रैरात्माभ्यास उपस्थितैः ॥ १० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
સંન્યસ્ય સર્વકર્માણિ ભવબન્ધવિમુક્તયે |
યત્યતાં પંડિતૈધરાત્માભ્યાસ ઉપસ્થિતૈઃ || ૧૦ || શ્લોકનો ગદ્ય અય - માત્માગાણે ૩પસ્થિતૈઃ ધ પણ્ડિતૈઃ સર્વશર્માણ સંચસ્થ મવવન્ધવિમુકે ત્યતામ્ || ૨૦ ||
શબ્દાર્થ – પfeતૈ:-સામાન્ય સમજણ એવી છે કે “પંડિત' એટલે બહુ ભણેલો, મોટો વિદ્વાન, બહુશ્રુત (Well-read) વ્યક્તિ, પરંતુ ધાર્મિક-આધ્યાત્મિક સંદર્ભમાં, પૂછ્યું એટલે આત્માના વિષયમાં ઊંડું ચિંતન કરતી બુદ્ધિ. (આત્મવિષયા. વૃદ્ધિ પૂષ્ણ | - શંકરાચાર્ય) - જેની પાસે આવી વિવેકબુદ્ધિ (Discretion) હોય, તે પબ્લિત. ધ (fષ્કર્તનું વિશેષણ). ક્વા પંડિતો? જે વિવેકબુદ્ધિવાળા હોય, જે શુદ્ધ વિચારશીલ હોય. માત્માસે ૩૫સ્થિતૈઃ (આ પણ પટ્ટિર્તનું વિશેષણ). ત્મિખ્યા એટલે ઊંડું આત્મચિંતન, આવી પ્રક્રિયામાં સતત મગ્ન, રત, તત્પર;
ત્યતા... તેમણે પ્રયત્ન કરવો જોઈએ. શાના માટે ? અવવશ્વમુpયે - સંસારનાં, સંસારી જીવનનાં બંધનમાંથી મુક્ત થવા માટે. એ કેવી રીતે? શું કરીને? સર્વમંગ સંચસ્થ આત્મચિંતન-પરાયણ થવા સિવાયનાં બીજાં બધાં જ કર્મોને છોડી દઈને (૧૦)
વિવેકચૂડામણિ | ૬૯