________________
અહંકાર-વગેરેથી વિમુક્ત થાય ત્યારે, એવી વિમુક્ત દશામાં.
પરમાત્મતત્ત્વ(પ)નું આવું સ્વરૂપ કોના જેવું છે ? – (યથા) નું પડ્યું. પતિ, વિવિધ (તથા વ) | - જે રીતે આકાશ એકરૂપ જ હોય છે, વિવિધરૂપવાળું થતું નથી, હોતું નથી, - તે જ રીતે. આકાશ આવું ક્યારે હોય છે? ધટ-- ન-સૂવિ-મુર્વેદ ઉપાધિશતઃ વિમુ$મ્ | મધ્ય એટલે વગેરે; ઃિ એટલે સેંકડો, અસંખ્ય. સત્તરા એટલે કળશિયો, લોટો; ચૂત એટલે (અનાજ ભરવાની) કોઠી; સૂવિ એટલે સોય, સોયનું નાકું. આવી બધી અસંખ્ય ઉપાધિઓથી વિમુક્ત થતાં, એવી દશામાં, આકાશ વિવિધરૂપે થતું નથી, પરંતુ એકરૂપે જ રહે છે, - તે રીતે. (૩૮૬). અનુવાદ :
જે રીતે આકાશ, ઘડો-લોટો-કોઠી સોય વગેરે સેંકડો ઉપાધિઓનાં સંબંધનાં) કારણે વિવિધરૂપવાળું થતું નથી, (પરંતુ એ જ ઉપાધિઓથી) વિમુક્ત થતાં, એકરૂપે જ રહે છે, તે જ રીતે અહંકાર-વગેરેથી વિમુક્ત શુદ્ધ પરમાત્મા એકમાત્ર જ હોય છે. (૩૮૬). ટિપ્પણ:
આ પહેલાનાં શ્લોકમાં, એની ચોથી પંક્તિમાં પ્રયોજાયેલી, મહાશની ઉપમાનો વિસ્તાર કરીને, અહી તે ઉપમા-સંકેતને સવિશેષ સ્પષ્ટ-સ્વરૂપે સમજાવવામાં આવ્યો છે.
ગયા શ્લોકમાં, આકાશની ઉપાધિ માટે, કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોતો, માત્ર સમગ્ર આકાશ માટે “મહા-આકાશ” એવો એક જ શબ્દ પ્રયોજાયો હતો. પરંતુ આત્મતત્વ માટે જેમ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, અહંકાર જેવી અનેક ઉપાધિઓ હોય છે તેમ જ, આકાશ પણ પોતાનાં સમસ્ત, સમગ્ર, અખિલ, અખંડ અને એકમાત્ર સ્વરૂપમાં હોવા છતાં, એને પણ સેંકડો ઉપાધિ હોય છે, જેના પરિણામે તેનું પણ મર્યાદિત, વિભાજિત, ખંડિત અને વિવિધ સ્વરૂપમાં દર્શન થતું હોય છે, તેમ દર્શાવીને, આત્મતત્ત્વનાં એકમાત્ર એવાં અખંડ, પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપનાં શાશ્વત સત્યને, આચાર્યશ્રી, અહીં પ્રમાણિત કરે છે.
ઘડો, લોટો, અનાજ ભરવાનો કોઠાર અને સોયનું નાકું, - વગેરે અસંખ્ય એવાં મોટાં-નાનાં પાત્રો કે સ્થળો બ્રહ્માંડમાં છે, જ્યાં અથવા જ્યાંની ખાલી જગામાં આકાશ” હોય છે, જેથી આપણે તેને “ઘટાકાશ” (ઘટ-આકાશ), “સૂચ્યાકાશ” (સૂચિઆકાશ), એવાં વિવિધ નામે અને રૂપે ઓળખીએ છીએ અને જોઈએ છીએ, પરંતુ
૭૪૪ | વિવેકચૂડામણિ