SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે : ધટ-પટ-આહિવત્ ફૂટેલો-તૂટેલો ઘડો, ફાટી ગયેલાં કપડાં, - વગેરે જેવી આવી બધી નકામી ચીજો પ્રત્યેનો માણસનો ભાવ કેવો હોય ? બસ, આવો જ ભાવ એટલે “ઉદાસીનભાવ' ! જગત અને જગતની સર્વ અહંકારાદિ વસ્તુઓ પ્રત્યે, મુમુક્ષુ સાધકે, આવો ઉદાસીનભાવ” કેળવવાનો રહે; એ બધાં સાથે જરા પણ સંડોવાયા (Involve થયા) વિના, માત્ર સાક્ષીભાવે, તટસ્થવૃત્તિથી રહેવાનું-જીવવાનું ! “તટસ્થ તે છે, જે, નદીનાં કાંઠે ઊભો છે (ટે તિષ્ઠતિ કરી I), છતાં નદીના પ્રવાહમાં પડતો નથી, પ્રવાહપતિત બનતો નથી, પ્રવાહને માત્ર નિરપેક્ષભાવે જોયા જ કરે છે ! શ્લોકનો છંદ : અનુણુપ (૩૮૩) ૩૮૪ विशुद्धमन्तःकरणं स्वरूपे निवेश्य साक्षिण्यवबोधमात्रे । शनैः शनैनिश्चलतामुपायन् पूर्ण स्वमेवानुविलोकयेत् ततः ॥३८४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: વિશુદ્ધમન્તઃકરણ સ્વરૂપે નિવેશ્ય સાક્ષિણ્યવબોધમાગે શનૈઃ શનૈર્નિશ્ચલતામુપાયનું પૂર્ણ સ્વમેવાનુવિલોકયેત્ તતઃ ૩૮૪ શ્લોકનો ગદ્ય અન્વય : साक्षिणि अवबोधमात्रे स्वरूपे विशुद्ध अन्तःकरणं निवेश्य, शनैः शनैः निश्चलतां उपानयन्, ततः पूर्ण स्वं एव अनुविलोकयेत् ॥३८४॥ શબ્દાર્થ : . . મુખ્ય વાક્ય : તા: (સધ:) વં પૂof gવ અવિનોતા તત: એટલે કે આ પહેલાંના શ્લોકોમાં નિરૂપિત ધ્યાનની પ્રક્રિયાને બરાબર સમજી લીધા પછી; સાધકે પૂર્ણરૂપ એવા પોતાનું જ અવિરત દર્શન કરતાં રહેવું, એટલે કે પોતાનું જ, પોતાના આત્માનું જ પૂર્ણાત્મા-સ્વરૂપે સતત અવલોકન કરતાં રહેવું જોઈએ. પરંતુ તે પહેલાં તેણે શું કરવાનું રહે છે? શનૈઃ શનૈઃ નિશ્ચતતાં ૩૬નયન ! - ધીરે-ધીરે - વિવેકપૂડામણિ | ૭૩૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy