SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ અપનાવવું, એનું અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોક્ષપ્રાપ્તિ એટલે પરબ્રહ્મ-સાક્ષાત્કાર; અને તેથી, સાધકે પોતાની આત્મબુદ્ધિને તે(પરબ્રહ્મ)માં જ સ્થાપવી જોઈએ, એ તો તેના તરફથી સેવવામાં આવતી એક સામાન્ય અપેક્ષા છે; પરંતુ તેનાં પેલાં આત્યંતિક ધ્યેયને સંપન્ન કરવા માટે, આટલું પર્યાપ્ત નથી. કારણ ? કારણ કે તે સતત જીવે છે આ જગતમાં, સંસારમાં, - જ્યાં તેની સાથે સતત સંકળાયેલાં તેનાં, દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન-અહંકાર વગેરે સઘળાં તત્ત્વો મિથ્યા અને “અનાત્મા' છે. આ બધાં પ્રત્યે જો એની આત્મબુદ્ધિ, એનું પોતાનાંપણું ચાલુ રહે તો, મોક્ષપ્રાપ્તિનાં, એટલે પરબ્રહ્મસાક્ષાત્કારનાં પોતાનાં જીવનધ્યેયને તે કદી પણ પરિપૂર્ણ ન કરી શકે. આમ, આ સર્વ પ્રત્યે (કદમતિષ) તો તેણે સંપૂર્ણ-ત્યાગભાવ (સત્યન) જ અપનાવવો રહ્યો. અને પરબ્રહ્મમાં પોતાનાં આત્મત્વને તેણે સ્થાપ્યો હતો તેને, હવે, તેણે સ્થિર અને દઢ કરવો જોઈએ (વીર્વન). પરંતુ આટલું કર્યા પછી પણ, એક મહત્ત્વનું કામ, તેના માટે બાકી રહે છે : તે “રહે છે - જીવે છે તો આ સંસારમાં જ ને ! પેલી સર્વ અનાત્મ-વસ્તુઓ અને એમાંનો એનો અહ-ભાવ, - એ સર્વનો ભલે એણે ત્યાગ કર્યો; છતાં એ સર્વ સતત રહે છે તો, એની આંખોની સામે જ; અને જેમાં તે જીવે છે, તે જગત અને સંસાર પણ હંમેશાં તેની નજર સામે જ છે ! તો, આખું શું કરવું? બસ, એનું જ માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે, - કલાપીન. આ ઉદાસીન' શબ્દને બરાબર સમજી લેવા જેવો છે, જેથી “ઉદાસશબ્દ સાથે એનો ગોટાળો ન થઈ જાય ! ઉદાસ” એટલે દિલગીર-દુઃખી-શોકમગ્નખિન્ન. કોઈક બાબતમાં માણસને નિરાશા કે નિષ્ફળતા સાંપડી હોય તો તે “ઉદાસી (Sad, Sorry, afflicted, Disappointed) થઈ જાય. જ્યારે આ “ઉદાસીન એટલે તે માણસ, જે, પોતાની નજર સામેની વસ્તુઓ-વ્યક્તિઓ બાબતમાં પૂરેપૂરો અળગો-વેગળો રહે, - એવી રીતે કે જાણે એ સર્વ સાથે તેને કશો સંબંધ જ નથી ! “ઉદાસીન(સ્ + માસીન), એટલે કે જે “ઊંચે બેઠેલો છે અને પોતાની નીચે કે આજુબાજુ જે કંઈ છે, એને માત્ર જોયા જ કરે છે, એમાં તે જરા પણ સંડોવાતો નથી, તે સહુથી સંપૂર્ણરીતે અ-સ્કૃષ્ટ, અ-સંબદ્ધ, અનુ-આસક્ત : Indifferent, apathetic, un-concerned, un-connected ! - Sell 2lol yel, au નહીં ! આવા “ઉદાસીનભાવ માટે, શ્લોકમાં, એક સમુચિત ઉદાહરણ આપવામાં ૭૩૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy