________________
આરિપુ) ખટપયવિત્ (સાધ:) ગ્વાલીનતયા તિષ્ઠત્ રૂટા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (સાધ) અત્ર વાસીનતયા તિષ્યેત્ । સત્ર એટલે અહીં આ બાબતમાં, પરબ્રહ્મ-પરમાત્મા વિશે. તિત્ એટલે રહેવું જોઈએ; અહીં સૂચવવામાં આવ્યું છે તેવું વલણ, તેવો અભિગમ વગેરે અપનાવવાં-જાળવવાં જોઈએ. સાધકની ફરજ (Duty) તરીકે, આ બધું સૂચવવામાં આવે છે તેથી, આજ્ઞાર્થ (Imperative) અથવા વિધ્યર્થ(Potential)નાં ક્રિયાપદ-રૂપો પ્રયોજવામાં આવ્યાં છે (વિન્તય, અનુમાવય, વિજ્ઞાનીયાત, તિષ્ઠત્ - વગેરે), તે, સમુચિત છે.
સાધકે પરબ્રહ્મની બાબતમાં કેવું વલણ (Attitude) ધારણ કરવાનું રહે છે ? - અહીં, આ વિશે, જુદાં-જુદાં ત્રણ વલણો, આ પ્રમાણે, સૂચવવામાં આવ્યાં છે : (૧) અત્ર (પરબ્રહ્મવિષયે) આત્મત્વ વૃદ્ધીવત્ । વૃત્તીર્વન - (વૃદ્ધ શબ્દના ‘વિ’-રૂપનું, વર્તમાન-કૃદંત, પુલિંગ, પ્રથમ વિભક્તિ એકવચનનું રૂપ) દૃઢ કરીને, મજબૂત બનાવીને; એટલે કે તેણે પરમાત્મામાં(બ્રહ્મમાં) પોતાનાં આત્મપણાંને, આત્મભાવને દૃઢ કરવાનો રહે છે. (૨) અહં-આવિયુ (આત્મત્વ) સત્ત્વનન્ અહંકારવગેરેમાં તેણે પોતાનાં આત્મપણાંને ત્યજી-છોડી દેવાનો રહે છે; અને ત્યારપછી, એટલે કે ઉપર્યુક્ત ‘દઢીકરણ’ અને ‘ત્યાગ’નો અભિગમ અપનાવ્યા પછી, (૩) તેવુ (અહાર-આવિયુ) નવાસીનતયા તિશ્વેત્ ॥ અહંકાર-વગેરે તે સર્વ પ્રત્યે ઉદાસીનભાવે તેણે રહેવું જોઈએ; એટલે કે તે બધાં પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ કેળવવી જોઈએ. આવો ઉદાસીનભાવ કોના જેવો હોવો જોઈએ ? ધટવયવિત્ । સામાન્ય રીતે, માણસ, જેવો ભાવ, જેવું વલણ, જેવી દૃષ્ટિ, ઘડો-કપડાં (પટપટ) વગેરે પ્રત્યે રાખે છે, એમાં કોઈ પણ પ્રકારના અંગત રસ વગર, - તેના જેવો ભાવ, સંસારમાંની સર્વ ઘટનાઓ અને અનાત્મ-વસ્તુઓ પ્રત્યે તેણે કેળવવો જોઈએ. (૩૮૩)
-
અનુવાદ :
અહીં (પરબ્રહ્મમાં) આત્મભાવને દૃઢ કરીને, અહંકાર વગેરેમાં (આત્મભાવને) ત્યજી દઈને, (સાકે) ઘટ-પટ વગેરે(બાબત)ની જેમ ઉદાસીનભાવે રહેવું જોઈએ. (૩૮૩)
ટિપ્પણ :
મોક્ષપ્રાપ્તિને પોતાનું જીવનધ્યેય સ્થાપીને, એને પરિપૂર્ણ કરવા સક્રિય એવા સાધકે, પોતાના આત્મભાવ, એટલે કે પોતાનાંપણાં (આત્મત્વ) પ્રત્યે કેવું વલણ ફર્મા – ૪૭
-
વિવેકચૂડામણિ / ૭૩૭