________________
એનું આત્મભાવે અનુભાવન કરવાનું સૂચવવામાં આવ્યું હતું.
આ અનુભાવન, એટલે કે પરિશીલન, ધ્યાન, કેવી રીતે કરવું, - એની વિશેષ વિગતો અહીં આપવામાં આવી છે : એક તો એ કે જે કંઈ ચિંતન કરવામાં આવે, એમાં આત્માનો એકનો જ “ઉલ્લેખ' હોવો જોઈએ, એ એક જ વિષય તરીકે હોવો જોઈએ (ઉશ્કેલયન વિષયીર્વન). બીજું, આ આત્માને વિશેષરૂપે જાણી લેવાનો છે (વિનાનીયત), અને તે પણ માત્ર સ્પષ્ટરીતે (ર) જ નહીં, પરંતુ હું પોતે જ આ આત્મા છું' - એવાં પોતાનાં સ્વરૂપે જ એને જાણવાનો છે.
વળી, જે ચિત્તવૃત્તિ વડે, આત્માનું આ વિજ્ઞાન મેળવવાનું છે, તે પણ એવી વિશિષ્ટ અને અસામાન્ય હોવી જોઈએ કે તે ધ્યાન-પ્રક્રિયામાં જરા પણ વિક્ષેપ ન આવી જાય, - એવી, તેલની ધાર જેવી, અવિચ્છિન્ન, અસ્મલિત, એકધારી, અણઅટકી તે ચિત્તવૃત્તિ હોવી જોઈએ; પરંતુ આટલું જ પૂરતું નથી. ચિંતનની આ. પ્રક્રિયા ચાલતી હોય તેમાં, આત્મા સિવાય, આત્મા-વિનાના, “અનાત્મ-કોટિના બીજા કોઈ વિષયનો સંપર્ક ન પ્રવેશી જાય, એને પણ સાધકે સતત, જાગ્રત રહીને, લક્ષમાં રાખવાની જરૂર છે; કારણ કે આવું બની જાય, બનવા પામે તો, આત્મચિંતનની તે ચિત્તવૃત્તિ, એટલા પૂરતી, અધૂરી અને દૂષિત થઈ જાય અને પરિણામે, આત્માનું એ “વિજ્ઞાન' (વિઝાનીયા), ન હોય પૂરું “સ્પષ્ટ' અને ન હોય “સ્વસ્વરૂપનું !
ગયા શ્લોકમાં, ‘મરઉશ્કવૃજ્યા' એ શબ્દ દ્વારા, ધ્યાનની પ્રક્રિયા વિશે ઈશારો તો કરવામાં આવ્યો જ હતો. છિનયા અને પ્રત્યકાન્તરશૂન્યથા એ બે શબ્દો પ્રયોજીને, આ શ્લોકમાં, એનું સમર્થન તથા દઢીકરણ કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૩૮૨).
૩૮૩ अत्रात्मत्वं दृढीकुर्वन् अहमादिषु सन्त्यजन् ।
उदासीनतया तेषु तिष्ठेत् घटपटादिवत् ॥३८३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અત્રાત્મવં દઢીકુર્વનું અહમાદિષુ સંત્યજનું !
ઉદાસીનતયા તેષ તિષ્ઠ ઘટપટાદિવત્ li૩૮૩ શ્લોકનો ગદ્ય અન્વય : अत्र आत्मत्वं दृढीकुर्वन्, अहं-आदिषु (च) सन्त्यजन्, तेषु (अहंकार
- ૭૩૬ / વિવેકચૂડામણિ