________________
૩૮૨ एतमच्छिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया ।
उल्लेखयन् विजानीयात् स्वस्वरूपतया स्फुटम् ॥३८२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
એતમચ્છિનયા નૃત્યા પ્રત્યયાન્તરશૂન્યથા |
ઉલ્લેખયનું વિજાનીયાત સ્વસ્વરૂપયા ફુટમ ૩૮રા. શ્લોકનો ગદ્ય અન્વય :
अच्छिन्नया प्रत्ययान्तरशून्यया वृत्त्या एतं (आत्मानं) उल्लेखयन्, (साधकः) स्वस्वरूपतया स्फुटं विजानीयात् ॥३८२॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (સાધ:) પd (માત્માનું) ૮ વિનાનીયાનું ! – રે એટલે સ્પષ્ટ રીતે; વિનાનયાત્ – જાણી લેવો જોઈએ; જાણવો. (સાધકે) આ(આત્મા)ને સ્પષ્ટ રીતે જાણવો. કેવાં સ્વરૂપે જાણવો? સ્વ-સ્વરૂપતયા ! – પોતાનાં સ્વરૂપે, એટલે કે તે પોતે આત્મા છે, એવી પ્રતીતિથી; શું કરતાં-કરતાં જાણવો જોઈએ ? - વલયન - એનું ચિંતન, રટણ કરતાં-કરતાં; કેવી વૃત્તિથી ચિંતન કરવાનું ? નિયા પ્રત્યયાત શૂન્યથા . આ વૃત્તિ, આવી બે પ્રકારની હોવી જોઈએ ઃ (૧) નિયાં ! – વચ્ચે અટક્યા વિનાની, અખંડ, અખંડિત, તેલની ધારા જેવી અસ્મલિત, એકધારી; અને (ર) પ્રત્યયાન્તરચય | પ્રત્યય - સમજણ, વિષય, સંસર્ગ, પ્રતીતિ; પ્રત્યયાતર એટલે આત્મા-સિવાયની, અન્ય કોઈ પ્રતીતિ વિનાની, બીજા કોઈ પણ વિષય વગરની; શૂન્ય એટલે વિનાની, વગરની, રહિત. (૩૮૨) અનુવાદ :
એકધારી અને અન્ય કોઈ વિષયના સંપર્ક વિનાની વૃત્તિથી (એનું) ચિંતન કરતાં-કરતાં, (સાધકે) આ(આત્મા)ને પોતાનાં જ સ્વરૂપે સ્પષ્ટ જાણી લેવો. (૩૮૨) ટિપ્પણ:
અહીં પણ આત્માનાં ધ્યાનની ચર્ચા ચાલુ છે.
ગયા શ્લોકમાં, આત્માને, “સ્વયં-પ્રકાશ” અને “સર્વસાક્ષી', - એવાં બે વિશેષણો વડે વર્ણવવામાં આવ્યો હતો અને એને જ પોતાનાં જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવીને,
- વિવેકચૂડામણિ | ૭૩૫