________________
કરવાનું છે? આ પ્રમાણે ત્રણ રીતે : (અ) પર્વ તૈક્ષ્ય વિધાય | એને જ લક્ષ્ય બનાવીને, એને જ જીવનનાં ધ્યેયરૂપે સ્થાપીને, (બ) મguડનૃત્યા | અખંડાકારવૃત્તિપૂર્વક, અખંડ બ્રહ્મવૃત્તિથી; (ક) ગર્ભિતયા | - આત્મભાવે, સ્વભાવે, સ્વસ્વરૂપે; એટલે કે “તે તું પોતે જ છે', એમ સમજીને. (૩૮૧). અનુવાદ :
સ્વયંપ્રકાશ અને સર્વનો સાક્ષી (એવો) આ (આત્મા) વિજ્ઞાનમય કોશમાં નિરંતર ઝળહળતો હોય છે; અસત્-થી ભિન્ન એવા એને લક્ષ્ય બનાવીને, અખંડ બ્રહ્મવૃત્તિપૂર્વક અને આત્મભાવે તું એનું ભાવન કર. (૩૮૧) ટિપ્પણ:
આ પહેલાં, શ્લોક-૩૭૦માં, fધયં યઝ ૨ લિક્ષિMિ - એમ કહીને, ધ્યાનનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો; ત્યારપછી, શ્લોક-૩૭૯માં બ્રહ્માનંદરસનું પાન કરવાનો, શિષ્યને, અનુરોધ કરતાં પહેલાં, બ્રહ્મજીવનાં ઐક્યને તન્મયતાપૂર્વક પામવાનું સૂચવવામાં આવ્યું હતું અને આ પહેલાંના શ્લોકમાં તો માત્માનં વિન્તય - એમ, આત્મચિંતનનો સીધો જ આદેશ આપવામાં આવ્યો હતો અને હવે થોડા શ્લોકોમાં ધ્યાનના પ્રકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. | પહેલી વાત તો એ કે જેનું અનુભાવન કરવાનું છે તે આત્માને પોતાના સમગ્ર ધ્યાનમાં લક્ષ્ય' તરીકે સ્થાપવાનું છે; બીજું, આ આત્મા સ્વયંપ્રકાશ છે, સૌનો પ્રકાશ છે છતાં તે પર-પ્રકાશિત નથી; એનો અર્થ જ એ કે તે જ્ઞાનસ્વરૂપ છે; ત્રીજું, તે સર્વનો સાક્ષી છે એટલે સર્વત્ર સઘળું જુએ છે; એની દૃષ્ટિ બહાર કશું જ નથી, એવો એ દા” (Seer) છે; ચોથી અને છેલ્લી વાત એ કે તે વિજ્ઞાનમય કોશમાં નિત્ય-નિરંતર વિલસતો હોવાથી, સૂક્ષ્મબુદ્ધિરૂપી ખજાનામાં એ સદા-સર્વદા ઝળકતો હોય છે; એનો અર્થ એ જ કે તે સૂક્ષ્મબુદ્ધિ દ્વારા જોય છે.
આવા આત્મા પર સાધકે જે બે પ્રકારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, તે બંને પણ યાદ રાખવા જેવા છે : એક તો એ કે તે અખંડાકારવૃત્તિપૂર્વક, એટલે કે એમાં જરા પણ વિક્ષેપ ન પડે એવું, તેલની ધાર જેવું (ધારીવાહિયા), સાતત્યપૂર્ણ હોવું જોઈએ; અને બીજું, એ કે “પોતે જ તે આત્મા છે'- એવા આત્મભાવે, સ્વસ્વરૂપે, પૂરા આત્મીયભાવે, એનું અનુશીલન કરવાનું છે અને ખાસ તો એ કે બ્રહ્માંડમાંની સર્વ મિથ્થા વસ્તુઓથી આત્મા ભિન્ન છે, એટલે કે સદા સસ્વરૂપ છે, એ પણ સાધકે ભૂલવાનું નથી.
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૮૧)
૭૩૪ | વિવેકચૂડામણિ