________________
- એવું નિરૂપીને, આચાર્યશ્રીએ, તીવ્ર વૈરાગ્ય અને દઢ આત્મજ્ઞાન, - એ બંનેના સહભાવનો મહિમા, કઈ અને કેવી પરમોચ્ચ સિદ્ધિ પર સાધકને પહોંચાડી શકે છે, તે, અહીં સિદ્ધ કર્યું છે.
શ્લોક સાથે સંકળાયેલી બે-ત્રણ ગૌણ બાબતોની નોંધ લઈને ટિપ્પણ પૂરું કરીએ :
(૧) સાધક માટે, પોતાની જાતને વશ કરવાના અર્થમાં, વશ્યત્મિા - શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તે, સંસ્કૃત પરંપરામાં સુપ્રસિદ્ધ એવી, નીચે પ્રમાણેની, આઠ સિદ્ધિઓમાંની, વશિત્વ પ્રત્યે નિર્દેશ કરે છે :
अणिमा लघिमा प्राप्तिः प्राकाम्यं महिमा तथा ।
ईशित्वं च वशित्वं च तथा कामावसायिता ॥ (૨) શ્લોકમાંના દ્વારા અને સામ્રાજ, – એ બે શબ્દો, અનુક્રમે, સાધકનાં આંતર અને બાહ્ય, વિચારવિશ્વ પરનાં સ્વાતંત્ર્યનો ઉલ્લેખ પણ કરતા હોય.
(૩) એમ કહેવાય છે કે ઈશ્વર પણ, અંતે તો, “સોપાધિક' છે; કારણ કે તે નિર્ગુણ બ્રહ્મનો ઔપાધિક આવિષ્કાર છે, જ્યારે બ્રહ્મવિદ્ને તો બ્રહ્મની નિરુપાયિક અવસ્થાનો સાક્ષાત્કાર થયો હોય છે. વૈરાગ્ય-જ્ઞાનની બેલડી વણ્યાત્મા સાધકને “સ્વારાજ્ય-“સામ્રાજ્ય” આપનારી બને છે, તે સંદર્ભમાં આટલી સ્પષ્ટતા પ્રસ્તુત બને છે.
શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૩૭૭)
૩૦૮ आशां छिन्धि विषोपमेषु विषयेष्वेवैव मृत्योः सृति
स्त्यक्त्वा जातिकुलाश्रमेष्वभिमतिं मुञ्चातिदूरात् क्रियाः । देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि
त्वं दृष्टाऽस्यमलोऽसि निर्द्वयपरं ब्रह्मासि यद् वस्तुतः ॥३७८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : આશાં છિબ્ધિ વિષોપમેષ વિષયેષ્યવૈવ મૃત્યોઃ કૃતિ
સ્વકૃત્વા જાતિકુલાશ્રમેષ્યભિમતિ મુંચાતિદૂરા ક્રિયાઃ | દેહાદાવસતિ ત્યજાત્મધિષણાં પ્રજ્ઞાં કુષ્યાત્મનિ – દઝાડસ્પમલોકસિ નિર્બયપર બ્રહ્માસિ યક્ વસ્તુતઃ I૩૭૮
વિવેકચૂડામણિ | ૭૨૫