________________
આવે, ત્યાં એ ક્રિયાપદને બદલે ધુન - એ શબ્દ મૂકવામાં આવે છે. અર્થ :
સ્વારાજય અને સામ્રાજયને દોહી આપનાર”, - એટલે એકંદરે, “એ બંને આપનાર”, - એવો અર્થ થાય.
સરખાવોઃ મધુવામાન લોધિ કૃતિ ! – “કામનાઓ દોહી આપનાર”, એટલે એકંદરે, “કામનાઓ મેળવી આપનાર”, “આપનાર”.
(४) यस्मात् एतत् (वैराग्यं) मुक्तियुवतेः अजस्रं द्वारं (द्वारसमानं મતિ) | માત્ર એટલે જેનો વ્યય કે નાશ નથી તે, વ્યય-વગરનું, અ-વ્યય, નિરન્તર; કારણ કે આવો વૈરાગ્ય મુક્તિરૂપી યુવતીનાં નિરતર દ્વાર-સમાન છે.
(५) अस्मात् सर्वत्र अस्पृहया सत्-आत्मनि सदा श्रेयसे प्रज्ञां कुरु । अस्मात् આથી, આ કારણે; માટે; “આથી” સાધકે શું કરવાનું? - પ્રજ્ઞા ૩ . પ્રજ્ઞા એટલે ઉચ્ચ પ્રકારની બુદ્ધિ; આવી બુદ્ધિને હંમેશ માટે (સવા) સત્યસ્વરૂપ આત્મામાં (સઆત્મનિ) તેણે સ્થિર કરવાની રહે છે; અને તે પણ સર્વત્ર, બધે, સ્પૃહા છોડી દઈને, નિસ્પૃહ થઈને(સર્વત્ર પૃદય); શા માટે? - શ્રેયસે ! તારાં કલ્યાણની પ્રાપ્તિ માટે. (૩૭૭) અનુવાદ :
જેણે પોતાની જાતને સંપૂર્ણ વશ કરી લીધી છે તે(તેવા સાધકોના માટે, વૈરાગ્ય કરતાં વધુ સુખજનક બીજું કોઈ સાધન હું જોતો નથી; અને તે વૈરાગ્યો પણ જો સવિશેષ શુદ્ધ આત્મજ્ઞાન સાથે હોય તો, તે પૂર્ણ સ્વાતંત્ર્ય અને આત્મસામ્રાજ્ય આપે છે; કારણ કે આ (વૈરાગ્ય) મુક્તિરૂપી યુવતીનું નિરન્તર-નિર્ભય (ખુલ્લું) દ્વાર છે. આથી (હે સૌમ્ય !) સર્વત્ર સ્પૃહા છોડી દઈને, તારાં પોતાનાં કલ્યાણ માટે, સત્યસ્વરૂપ એવા આત્મામાં સદા તારી પ્રજ્ઞાને સ્થિર કરી દે. (૩૭૭) ટિપ્પણ :
ગયા શ્લોકમાં, તીવ્ર વૈરાગ્યથી શરૂ કરીને, મુક્તાત્મા માટે, નિત્યસુખના અનુભવ સુધીની અંતિમ અને આત્યંતિક સિદ્ધિની વાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાંના શ્લોક(૩૭૫)માં, જ્ઞાન (વધ) વિનાનો, એકલો વૈરાગ્ય, વિમુક્તિની સિદ્ધિ માટે અસમર્થ છે, એવું પ્રતિપાદન કર્યું હતું. એટલે ગયા શ્લોકમાંની ક્રમિક સિદ્ધિઓમાં, વૈરાગ્ય સાથે, જ્ઞાન(ટૂઢપ્રવધ:)ને સાંકળ્યું તો હતું જ, પણ અહીં તો, વૈરાગ્યની સાથે શુદ્ધતર આત્મજ્ઞાનનું સાહચર્ય હોય તો, તે વૈરાગ્ય, “સ્વારાજ્ય' અને સામ્રાજ્ય' બંનેનો લાભ આપનારો બને છે; એટલું જ નહીં, પરંતુ આત્મજ્ઞાનસહિત એવો આ વૈરાગ્ય, સાધકને, મુક્તિનાં છેક ખુલ્લાં દ્વાર સુધી પહોંચાડી દે છે,
૭૨૪ | વિવેકચૂડામણિ