________________
જ આસક્તિનો ત્યાગ કરી શકે છે. આ સંગ” કોની સાથેનો ? વદિ વિષયૈ: તથા અન્ત: મહેં-મિ. (સં.) | - બહારના વિષયોનો અને અંદરના અહંકાર વગેરે સાથેનો “સંગ'; અને આ વૈરાગ્યવાન માણસ (વિર:) કેવો હોવાથી આવો ત્યાગ કરી શકે છે? - વૃક્ષણ નિષ્ઠિત: | બ્રહ્મમાં પાકી (પૂરી) નિષ્ઠા રાખનાર, બ્રહ્મમાં જેની નિષ્ઠા સ્થિર થઈ છે. તેવો. તુ - શબ્દ, બંને શ્લોકો(૩૭૩-૩૭૪)માંનાં એકસરખાં પ્રતિપાદનને દઢતર કરવા માટે પ્રયોજાયો છે. (૩૭૪). અનુવાદ :
બ્રહ્મમાં જેની નિષ્ઠા સ્થિર થઈ છે એવો વિરક્ત (મનુષ્ય) જ બહારના વિષયો અને અંદરના અહંકાર વગેરેનો સંગ ત્યજી શકે છે. (૩૭૪) ટિપ્પણ:
અંદરની વિષયવાસનાઓ અને બહારની, શબ્દ-સ્પર્શ-વગેરે તન્માત્રાઓની આસક્તિનો ત્યાગ કરનાર વૈરાગ્યવાન મનુષ્ય માટે, અહીં, એક મહત્ત્વનું સૂચક વિશેષણ ઊમેરવામાં આવ્યું છે અને તે છે, - હખિ નિતિઃ | - આ ઊમેરાનું કારણ એ છે કે “બ્રહ્મનિષ્ઠા', - અને તે પણ પાકી અને સ્થિર બ્રહ્મનિષ્ઠા', - એ કોઈ સામાન્ય પ્રકારની સિદ્ધિ નથી : મનને બીજે ક્યાંય પરિભ્રમણ કરતું અટકાવીને તેને માત્ર બ્રહ્મમાં જ સ્થાપવું, એનો અર્થ જ એ કે તે મનુષ્ય સંપૂર્ણરીતે અકામ-નિષ્કામ-આપ્તકામ થઈ ચૂક્યો છે. પોતાનાં મનને તો ઠીક, પરંતુ તેણે પોતાના આત્માને પણ સંપૂર્ણ રીતે “અસંગ' બનાવીને, પોતાનાં એ ભીતરી આત્મસ્વરૂપનું બ્રહ્મ સાથે “જોડાણ' (વો) સિદ્ધ કરી દીધું હોય છે. બ્રહ્મ સાથે જેણે આવી અવિચળ અને પરિપક્વ નિષ્ઠા સિદ્ધ કરી હોય, એવો વિરક્ત” જ પેલા બંને આંતર-બાહ્ય સંગનો ત્યાગ કરવાનું સામર્થ્ય ધરાવી શકે.
ગયા શ્લોકમાં જે પ્રેરણા વિરક્તને પોતાની “મુમુક્ષા' પાસેથી પ્રાપ્ત થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, એવું જ પરિબળ તેને પોતાની બ્રહ્મનિષ્ઠા તરફથી સાંપડતું હોવાનું અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
આ ત્રણ નિષ્ઠિતઃ, - એવું આ વિશેષણ વિરક્ત’ માટે ઊમેરવાનું સાચું કારણ તો એ છે કે મુમુક્ષાની પરિપૂર્ણતાનો આધાર પણ, અંતે તો, બ્રહ્મનિષ્ઠા પર જ રહે છે ઃ બ્રહ્મનિષ્ઠા વગર કોઈની પણ મુમુક્ષા સિદ્ધ કે સંપન્ન થઈ શકે નહીં.
શ્લોકનો છંદઃ અનુષુપ (૩૭૪)
વિવેકચૂડામણિ | ૭૧૭