________________
પૂરેપૂરી માનસિક સ્વસ્થતા મેળવીને, તેણે મોક્ષપ્રાપ્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ.
આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, સાધક સમક્ષ, મોક્ષના માર્ગનો સીધો-સાદોસરળ નકશો દોરી આપ્યો છે.
- શ્લોકનો છંદ : ઉપજાતે (૮)
उद्धरेदात्मनात्मानं मग्नं संसारवारिधौ ।
योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ॥ ९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ઉદાત્મનાત્માન મગ્ન સંસારવારિધી !
યોગાઢત્વમાસાદ્ય સમ્યગ્દર્શનનિષ્ઠયા || ૯ || શ્લોકનો ગદ્ય અવય –
સ ર્જનનિકથા યોગાહત્વે માતારા, સંસારવાર મને “” માત્માનં (8:) માત્મના (વ) સત્ I ? | | શબ્દાર્થ – સ-ર્શનિકથા – સમ્યક્ એટલે સારી-સાચી-સુયોગ્ય રીતે, સંપૂર્ણ રીતે વર્ણન એટલે આંતરિક દષ્ટિએ) જોવું - સમજવું - ગ્રહણ કરવું, મનમાં આત્મસાત કરવું, નિષ્ઠયા એટલે દઢ નિર્ણય વડે,Sincerely, હૃદય-પૂર્વક કરેલા સંકલ્પ વડે. આખા શબ્દનો અર્થ : સાચી, સુયોગ્ય રીતે જોઈ-સમજીને દઢહાર્દિક નિષ્ઠાથી, યોIઢત્વે માસી યોગારૂઢ થઈને, યોગની ઉચ્ચ અવસ્થાએ પહોંચીને, શાસ્ત્રોએ-દર્શનોએ નિર્દેશેલો સાચો યોગી થઈને, સંસારવાર અને (સ્વ) આત્માન – સસાર-સાગરમાં ડૂબેલી પોતાની જાતને, (:) તેણે સાધકે), નાત્મના (14) ઉદ્ધત્ - પોતાના વડે જ, પોતાની જાતે જ પોતાની મેળે જ, (પોતાનો) ઉદ્ધાર કરવો જોઈએ, પેલા દરિયામાં ડૂબેલી-ડબકાં ખાતી પોતાની જાતને, પોતાને બચાવી લેવી જોઈએ. (૯)
અનુવાદ :- સુયોગ્ય રીતે સમજવાની દઢ નિષ્ઠાથી યોગારૂઢ થઈને (તેણે) સંસારસાગરમાં ડૂબેલી પોતાની જાતને, પોતાના વડે જ, બચાવી લેવી જોઈએ. (૯) - ટિપ્પણ - “મોક્ષ-પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ,’ એ વાત તો સાચી, પરંતુ એ બિચારો સાધક તો આ દુન્યવી જીવનના “દુસ્તર' (જમાં તરી શકાય નહીં એવા) દરિયામાં ડૂબી રહ્યો છે, ડૂબકાં ખાઈ રહ્યો છે અને હવે ડૂબીને પોતે હમણાં તળિયે પહોંચી જશે, એવા જીવલેણ ભયમાં પ્રસ્ત થઈ રહ્યો છે !
એટલે, “સૌપ્રથમ તો આમાંથી બચવું કેમ ?” – એ સમસ્યાનો ઉપાય એને દર્શાવવાનો રહે છે. એવા ઉપાયનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે.
વિવેકચૂડામણિ | ૨૭