________________
८
अतो विमुक्त्यै प्रयतेत विद्वान् संन्यस्तबाह्यार्थसुखस्पृहः सन् । सन्तं महान्तं समुपेत्य देशिकं तेनोपदिष्टार्थसमाहितात्मा ॥ ८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :–
અતો વિમુક્ત્ય પ્રયોત વિદ્વાન્ સંન્યસ્તબાહ્યાર્થસુખસ્પૃહઃ સન્ 1 સ મહાન્ત સમુપેત્ય દેશિકં
તેનોપદિષ્ટાર્થસમાહિતાત્મા || ૮ ||
શ્લોકનો ગદ્ય અન્વય :– અતઃ વિદ્યાનું સંન્યસ્તવાદ્યાર્થમુહપૃ: સન્, મન્વં महान्तं देशिकं समुपेत्य, तेन उपदिष्टार्थसमाहितात्मा (सन् ) विमुक्त्यै प्रयतेत ॥ ८ ॥ શબ્દાર્થ :- અત:-આથી, એટલે, આ કારણે; વિદ્વાન-જ્ઞાની, ભણેલ-ગણેલ, સાધક; સંન્યસ્તવાદ્યાર્થમુહસ્પૃહઃ સન્ - વાદ્યાર્થસુદ્ધ – લૌકિક, ભૌતિક, દુન્યવી, સંસારી સુખ-ભોગવિલાસ; એની સ્પૃહા,-ઇચ્છા, વાસના, તૃષ્ણા, સંન્યસ્ત: મન્છોડી દઈને, ત્યજી દઈને; સાં મહાન્ત રેશિક સમુત્ય મહાન સંત સમા કોઈક ગુરુ(શિ) પાસે જઈને, એમને શરણે જઈને; તેન ૩પવિદ્યર્થસમાંહિતાભા (સન્) -તેન વિાર્થ,- એમણે ઉપદેશેલી-દર્શાવેલી-બતાવેલી બાબતો, સાહિતાભા સન્—એના વડે માનસિક શાંતિ-સમાધાન મેળવીને. આખા શબ્દનો અર્થ : આવા સુપાત્ર ગુરુજીએ સમજાવેલી બાબતો વડે માનસિક શાંતિ મેળવીને, વિમુત્ત્વે પ્રયતેત તેણે મુક્તિ-મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ.
-
અનુવાદ :— આ કારણે, જ્ઞાનીએ (સાધકે) ભૌતિક સુખ-ભોગોની તૃષ્ણા ત્યજીને, (કોઈક) મહાન સત્પુરુષ (એવા) ઉપદેશક(ગુરુ)નાં, શરણે જઈને, એમના ઉપદેશ વડે માનસિક સમાધાન મેળવીને, મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. (૮) ટિપ્પણ :– મોક્ષ-સાધક માટે, આ રીતે (અત:) સંસારી સંપત્તિ સાવ નકામી હોય, તો પછી તેણે શું કરવું જોઈએ ? - એનું માર્ગદર્શન આ શ્લોકમાં આપવામાં માવ્યું છે.
પહેલી વાત તો એ કે તેણે સર્વ પ્રકારનાં સંસારી સુખ-ભોગોની તૃષ્ણાલાલસાથી સંપૂર્ણરીતે મુક્ત થઈ જવું જોઈએ. આ પછીનું, તેના માટેનું બીજું પગલું એ છે કે તેણે કોઈક સુપાત્ર ગુરુજીનાં શરણે જઈને, સમર્પણભાવે તેમની સમક્ષ પોતાનાં મનમાંની ભાવના નિખાલસતાપૂર્વક રજુ કરી દેવી જોઈએ, અને ત્રીજી, છેલ્લી અને સૌથી મહત્ત્વની જરૂર, એના માટે, એ રહે છે કે ગુરુનાં માર્ગદર્શન વડે ૬૬ | વિવેકચૂડામણિ