________________
અનુવાદ – “ભૌતિક-ધનદોલતથી અમરતાની આશા રાખી શકાય નહીં”, - એવું શ્રુતિ પ્રતિપાદન કરે છે, એટલે “કર્મ એ મોક્ષનું કારણ નથી'એવું (શ્રુતિનું મંતવ્ય) સ્પષ્ટ (બની રહે) છે. (૭)
ટિપ્પણ - “મોક્ષ એ માનવ-જીવનનો સર્વોત્તમ પુરુષાર્થ છે, - એ તો સમજાયું, પરંતુ એને મેળવવા માટે શી, કેટલી અને કઈ કિંમત ચૂકવવાની રહે ? અમારી પાસે તો અઢળક ધનસંપત્તિ છે, એ ચાલે ?” - કોઈક સંસારી જીવના આવા સવાલનો જવાબ આ શ્લોકમાં અપાયો છે.
આચાર્યશ્રી ઘસી-ભૂસીને જડબાતોડ જવાબ આપે છે કે –“ના, ના, ના !”
કાયદાની આપણી કોર્ટમાં કશું પણ સાબિત કરવા માટે એનો પુરાવો (Evidence) અનિવાર્ય છે. ભારતીય ચર્ચામાં પણ આવી જ પરંપરા છે. કોઈક ટીકાકારે-ભાષ્યકારે કશુંક વિધાન કર્યું, પરંતુ એની પ્રમાણભૂતતા(Authoritativeness)ની પ્રતીતિ શી ? “ન્યાય'-દર્શને પ્રબોધેલાં ચાર પ્રમાણો'માંનું છેલ્લું, ચોથું એક જ, “શબ્દ પ્રમાણ અને આ “શબ્દ” એટલે શ્રુતિ.
અને એટલે જ શ્રીશંકરાચાર્યે અહીં, પોતાનાં વિધાનનાં સમર્થન માટે “શ્રુતિ'નો ઉલ્લેખ કર્યો છે. શી છે એ શ્રુતિ ? અને શું છે એનો મર્મ ?
બૃહદારણ્યક'-ઉપનિષદમાં, મોક્ષ-સાધકોએ હંમેશા યાદ રાખવા જેવો એક પ્રસંગ આ પ્રમાણે મળે છે : સુપ્રસિદ્ધ મહર્ષિ-મનીષી યાજ્ઞવક્યને બે પત્નીઓ હતી : મૈત્રેયી અને કાત્યાયની. આ બેમાં કાત્યાયની તો હાડોહાડ સંસારિણી હતી; પરંતુ મૈત્રેયી પૂરેપૂરી બ્રહ્મવાદિની-બ્રહ્મનિષ્ઠ હતી. સંસાર-ત્યાગ કરીને અરણ્યમાં જવા ઇચ્છતા યાજ્ઞવલ્કયે પોતાની મિલ્કતના બે સરખા ભાગ પાડીને, બંને પત્નીઓ વચ્ચે એ વહેંચવાની દરખાસ્ત કરી ત્યારે, કાત્યાયની તો, એના સ્વભાવ મુજબ, તૈયાર જ હતી, પરંતુ મૈત્રેયીએ પતિને પૂછ્યું કે -
હિં. તેન માં અમૃતા થામ્ | (“તે-સંપત્તિ-વડે હું “અમૃત-અમર-અવિનાશી થઈ શકું?”).
“શું હું તેના વડે મોક્ષ મેળવી શકું?” - એ છે મૈત્રેયીનો પ્રશ્ન. - “3 રૂતિ ન” રૂતિ ૨ ૩વીવ યાજ્ઞવઃ | યથા ૩૫રળવતાં નીવિત, तथा एव ते जीवितं स्याद्, अमृतत्वस्य तु न आशा अस्ति वित्तेन इति ।" (४,५,३)
યાજ્ઞવક્યનો જવાબ સ્પષ્ટ (bટ) છે : “સાધનસંપત્તિવાળા કોઈક સંસારીનું (સર્વ સુખ-સગવડ-સુવિધાવાળું) જીવન તેનાથી થાય, એવું જ તારું જીવન થાય. પરંતુ ધન વડે અમરપણાં(અમૃતત્વ)ની તો આશા જ ન રાખવી !”
ઉપનિષદુ-આધારિત યાજ્ઞવક્સના આ ઉત્તર પછી, - આ અનુસંધાનમાં વિશેષ કશું કહેવાનું રહેતું નથી.
માત્ર એટલું ઊમેરીએ કે શ્લોકમાંનું મળઃ (કર્મ, પ્રવૃત્તિ, Activity) એટલે, અઢળક ધન-દોલત કમાઈ લેવાની આંધળી દોટ, દોડાદોડી !
શ્લોકનો છંદ : અનુષુપ (૭)
વિવેકચૂડામણિ | ૬૫ ફર્મા - ૫