________________
અર્થ : જગતના સેંકડો સર્જકો જગત પર પોતાના અધિકારને ભોગવે, એટલો સમય”; સિધ્ધતિ-સિદ્ધ થઈ શકે નહીં; પ્રાપ્ત ન કરી શકાય, પામી શકાય નહીં. વિમુ$િ:- મુક્તિ, મોક્ષ. (૬).
અનુવાદ :- (મનુષ્ય) ભલે શાસ્ત્રો ભણે, દેવોને અનુલક્ષીને ભલે યજ્ઞો કે યજન-પૂજન કરે, સારા કર્મો ભલે કરે, અને દેવતાઓની ભલે ભક્તિ કરે (એમનાં ભજન-કીર્તન કરે); પરંતુ “જીવાત્મા એ જ પરમાત્મા', - બંને વચ્ચેની આવી એકતાની પૂરી સમજણ વિના, સેંકડો બ્રહ્માઓના અધિકાર-સમયમાં યે મોક્ષ મળશે નહીં. (૬)
ટિપ્પણ – માનવ-જીવનની પરમ ઈતિકર્તવ્યતા-સાર્થકતા સમા મોક્ષના મહિમાને અહીં ફરી એક વાર અધોરેખાંકિત (Under-line) કરવામાં આવ્યો છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય, દેવોનાં યજન, નિરંતર કર્મશીલતા, દેવતા-ભજન-કીર્તન, –
એ સૌનું જીવનમાં મહત્ત્વ નથી, એમ નહીં, પરંતુ મોક્ષ-પ્રાપ્તિ માટે તો જીવાત્મા -પરમાત્માની એકતાનું જ્ઞાન જ અનિવાર્ય અને અપરિહાર્ય (Indispensable) એવી આવશ્યકતા છે, એ હકીક્ત પર ભાર મૂકવાનો આચાર્યશ્રીનો અહીં ઉદેશ છે. | સર્જનહાર બ્રહ્માએ રચેલું આ બ્રહ્માંડ કેટલો સમય ટકે છે? પુરાણોનો જવાબ છે : ૨૦ અબજ માનવ-વર્ષો ! સર્જનથી પ્રલય સુધીના આ સમયને “કલ્પ' કહેવામાં આવ્યો છે. આવા સેંકડો કલ્પો જેટલો અતિદીર્ઘ સમય વ્યતીત થઈ જાય, તો પણ મોક્ષ-પ્રાપ્તિ તો હતી તેટલી જ દૂર રહે, - જો ઉપર્યુક્ત અનિવાર્ય શરત પરિપૂર્ણ કરવાં ન આવે તો ! - આચાર્યશ્રીનો “પડકાર' (Challenge) છે !
| શ્લોકનો છંદ : ઉપજાતિ (6)
अमृतत्वस्य नाशास्ति वित्तेनेत्येव हि श्रुतिः ।
ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटं यतः ॥ ७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અમૃતત્વસ્ય નાશાસ્તિ વિનેચેવ હિ શ્રુતિઃ |
બ્રવીતિ કર્મણો મુક્ત રહેતુત્વ સ્કુટું યતઃ || 8 || શ્લોકનો ગદ્ય અન્વય :- યત: ‘વિરેન અમૃતત્વસ્થ ગાશ ન તિ',इति एव श्रुतिः कर्मणः मुक्तेः अहेतुत्वं अस्फुटं ब्रवीति ॥ ७ ॥
શબ્દાર્થ – અમૃતત્વ, એટલે અમરપણું, મૃત્યુથી હંમેશ છૂટવાપણું, એટલે કે મૃત્યુ પછી પુનર્જન્મ જ ન હોય, એવી પરિસ્થિતિ. વિત્ત, ધન, ભૌતિક સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, દોલત; કૃતિ - એટલે ઉપર્યુક્ત (શ્લોક-૪) વૈદિક સાહિત્યમાંનું કોઈક વિધાન; મહેતુત્વ- કારણ ન હોવાપણું - સ્પષ્ટ, ચોખું, નિઃશંક; દ્રવીતિ કહે છે, પ્રતિપાદન કરે છે, જણાવે છે, સ્થાપે છે; યતિ: જેથી, જે કારણે. (૭)
૬૪ | વિવેચૂડામણિ