________________
શ્લોકનો ગદ્ય અન્વય :
તેદું-પ્રાળ-ન્દ્રિય-મન-બુદ્ધિ-વિમલ વૈઃ વૈઃ સપાધfપઃ વૃ: સમાયો, યોનિઃ તત્ત-ભાવ: (મતિ) રૂછશા. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મચ યોનિઃ ત–ત-પાવ: (મતિ) મે - તે તે ભાવ આ યોગીને પ્રાપ્ત થાય છે, એટલે કે તે તે ભાવવાળો તે બને છે. કયા ભાવો તેને પ્રાપ્ત થાય છે? - : ૩પધfપર (તરા) વૃત્તે: સમાયો: (પતિ) વૃત્તિ એટલે ચિત્તવૃત્તિ; સમાયો. એટલે જોડવું, સંબંધ-યોગ થવો તે, જોડાણ. જે-જે ઉપાધિઓ સાથે તેની ચિત્તવૃત્તિ જોડાય છે, તે-તે ભાવો તેને પ્રાપ્ત થાય છે અને આ બધી ઉપાધિઓ એટલે દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વગેરે. (૩૭૧) અનુવાદ :
દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે-જે ઉપાધિઓ સાથે ચિત્તવૃત્તિ જોડાય છે, તે-તે ભાવ આ યોગીને પ્રાપ્ત થાય છે. (૩૭૧) ટિપ્પણ: :
યોગ એટલે જોડાણ-સંપર્ક-સંબંધ (Association, Connection, Relation). યોગનો સ્વભાવ જ એવો છે કે જો કોઈ વસ્તુ અન્ય કોઈ સાથે જોડાણ પામે તો, તે (પ્રથમ) વસ્તુ, પેલી (અન્ય)વસ્તુના ભાવને-આકારને-સ્વરૂપને પામે, - અને આવું પરિવર્તન ભલે હંમેશ માટે ન હોય, પરંતુ થોડા સમય માટે, - એટલે કે તે બે વસ્તુઓનો “યોગ” જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તો, આ પ્રમાણે, “તદ્ભાવપામવાનું અવશ્ય ચાલુ રહે.
વેદાંત-દર્શનની પરિભાષામાં દેહ-પ્રાણ-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ વગેરેને “ઉપાધિ કહેવામાં આવે છે, એટલે જે-જે વસ્તુ આ ઉપાધિ’ સાથે જોડાય, એટલે કે તેનો યોગ” અથવા “સમાયોગ” આ “ઉપાધિ સાથે થાય, તેનામાં આ “ઉપાધિ પોતાનાં સ્વરૂપ અથવા ભાવને સંક્રાંત (Transfer) કરી દે. સ્ફટિક પોતે તો સંપૂર્ણરીતે શુદ્ધ અને શ્વેત છે, પરંતુ જો તે કાળા વસ્ત્રનો “યોગ પામે તો, તે યોગ (Juxtaposition)નાં પરિણામે, તે “યોગ ચાલુ રહે ત્યાં સુધી, સ્ફટિક જેવો સ્ફટિક પણ શ્યામ બની રહે ! સ્ફટિક પણ શ્યામભાવને પામે ! શ્યામ-વસ્ત્રરૂપી “ઉપાધિ’ સાથેના તેના યોગ’નું જ આવું પરિણામ, આવું પરિવર્તન ! “ઉપાધિ'નો જ આ સ્વભાવ અને પ્રભાવ ! એ જ રીતે, ચિત્તવૃત્તિને તો કોઈ રૂપ-રંગ-આકાર જ નથી, પરંતુ જો તે દેહ
વિવેકચૂડામણિ | ૭૧૧