________________
પણ ઓછું તોફાની નથી : તેને તો સર્વત્ર બહાર ભટકવાની જ કુટેવ છે, એટલે તેને તેની આ બહારની દોડાદોડમાંથી અટકાવીને, બુદ્ધિમાં સ્થિરતાપૂર્વક સ્થાપવાનું રહે છે. પરંતુ સાચા-ખોટા નિર્ણયો અને સારા-નરસા વિચારો પણ આ બુદ્ધિ જ કરે છે, એટલે તેનો પણ તેના સાક્ષી એવા આત્મામાં નિરોધ કરવાનો રહે છે.
પરંતુ બુદ્ધિ-સાક્ષી એવા આ આત્મામાં પણ ‘હું સાક્ષી છું' - એવા અહંકારની વાસના આવિર્ભૂત થાય તો, સાધકની, બ્રહ્મસાક્ષાત્કારની, આખી યાત્રામાં જ પ્રતિબંધ ઊભો થાય. એટલે એનો પણ નિર્વિકલ્પ એવા પૂર્ણ આત્મામાં, વિલય કરવાનો જ રહે, - જેથી દ્વૈતપ્રપંચ કે ભેદ માટે ક્યાંય કશોય અવકાશ જ ન રહે !
આમ, વાણી-મન-બુદ્ધિ-સાક્ષી કશું જ ન રહેવા પામે, પછી તો, પરમ અને પૂર્ણ એવા પરબ્રહ્મનો સાધકને સાયુજ્ય-સાક્ષાત્કાર જ પ્રાપ્ત થાય અને આવી સર્વોચ્ચ અને સર્વોત્તમ સિદ્ધિની કક્ષામાં તો રો વૈ સઃ ।-ના આનંદરસની અને શાશ્વત શાંતિની અનુભૂતિ જ શેષ રહે !
વાણી, મન, બુદ્ધિ, સાક્ષી અને આત્મા, આ બધાંને, એક પછી એક, ઉત્તરોત્તર - ઉચ્ચતર તત્ત્વમાં વિલીન કરતાં જવાની, આ શ્લોકમાં નિરૂપિત, ક્રમિક પરંપરાનાં મૂળમાં રહેલો ‘કઠ’-ઉપનિષદનો આ મંત્ર જ, આચાર્યશ્રીને અભિપ્રેત હશે, એ સ્પષ્ટ છે :
-
यच्छेद् वाङ् मनसि प्राज्ञः तद् यच्छेद् ज्ञान आत्मनि ।
જ્ઞાનું આત્મનિ મહતિ નિયછેત્ તવ્ યછેત્ શાન્ત આત્મનિ II (૧, ૩, ૧૩)
.
(“પ્રાજ્ઞ પુરુષે વાણીનો મનમાં નિરોધ કરવો, તે મનનો જ્ઞાનમાં (એટલે કે બુદ્ધિમાં) નિરોધ કરવો અને જ્ઞાનનો (બુદ્ધિનો) પણ શાંત એવા આત્મામાં નિરોધ કરવો.”)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૭૦)
૩૦૧
શ્લોકનો ગુજરાતી પાઠ :
देहप्राणेन्द्रियमनोबुद्ध्यादिभिरुपाधिभिः
यैर्यैर्वृत्तेः समायोगस्तत्तद्भावोऽस्य योगिनः ॥३७१॥
દેહપ્રાણેન્દ્રિયમનોબુયાદિભિરુપાષિભિઃ
1
ધૈર્યેવૃત્તઃ સમાયોગસ્તત્તભાવોઽસ્ય યોગિનઃ ॥૩૭૧૫
૭૧૦ | વિવેકચૂડામણિ