________________
શ્લોકનો ગદ્ય અવય :
वाचं आत्मनि नियच्छ, तं बुद्धौ नियच्छ, धियं च बुद्धिसाक्षिणि यच्छ, तं च अपि निर्विकल्पे पूर्णात्मनि विलाप्य, परमां शान्ति भजस्व ॥३७०॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : પરમ શક્તિ (ત્વ) મનસ્વ I તું પરમ શાંતિને પ્રાપ્ત કર, શાશ્વત શાંતિનો અનુભવ કર, આવી આત્યંતિક શાંતિ તું પામ.
પરંતુ ગુરુની આ આજ્ઞા પ્રમાણે, શિષ્ય પરમ શાંતિ પામે તે પહેલાં, તેણે, આ પ્રમાણે, ચાર પૂર્વ ક્રિયાઓ પરિપૂર્ણ કરવાની રહે છે :
(૧) વાવં માત્મનિ નિયછે. વાણીનો આત્મામાં, એટલે કે મનમાં નિરોધ કરી દે; એટલે કે વાણીને મન વડે વશ કર. (૨) d (માત્માનં) વળી નિયછે . તે આત્માનો એટલે કે મનનો, બુદ્ધિમાં નિરોધ કર; એટલે કે તે આત્માને, એટલે કે મનને બુદ્ધિ વડે વશ કર. (૩) ધિય ૨ દ્ધિસાક્ષિળ છI ધી એટલે બુદ્ધિ. બુદ્ધિનો પણ બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર; એટલે કે બુદ્ધિનો નિરોધ એના સાક્ષીમાં કરે. (૪) નં પ (સંક્ષિપ) નિર્વિવત્વે પૂત્મનિ વિતાવ્યા વિનાથ એટલે વિલય કરીને અને તે બુદ્ધિસાક્ષીનો પણ નિર્વિકલ્પ પૂર્ણ આત્મામાં વિલય કરીને (પરમ શાંતિ તું પામ !) અનુવાદ : - વાણીનો મનમાં નિરોધ કર, તે(મન)નો બુદ્ધિમાં નિરોધ કર, બુદ્ધિનો પણ બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર અને તે(સાક્ષી)નો પણ નિર્વિકલ્પ પૂર્ણ આત્મામાં વિલય કરીને, (અંતે) તું પરમ શાંતિનો અનુભવ કર. (૩૭૦) ટિપ્પણ :
આ પહેલાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું તેમ, સમગ્ર “યોગ-પ્રક્રિયાની આધારશિલા ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ કરવો તે જ છે અને આવું “નિરોધકાર્ય સંપૂર્ણરીતે અને સફળતાપૂર્વક સંપન્ન બની રહે તે માટે, આ શ્લોકમાં, નિયછે અને વછે, – નિરોધ કરવા માટેનાં આવાં બે આજ્ઞા-વચનો પ્રયોજીને, અંતે, નિરોધ કરવાના, એટલે કે વશ કરવાના, એ જ અર્થમાં વિલય કરવા માટેનો વિતાશબ્દ પ્રયોજીને, સદ્ગુરુ, શિષ્યને શાશ્વત શાંતિની પ્રાપ્તિનું સૂત્ર આપે છે.
વાણી સાધકને બર્ણિમુખ બનાવે છે, અનેક ભેદો ઉત્પન્ન કરીને તેને ભેદની દુનિયામાં લઈ જાય છે; તેથી તેનો મનમાં જ નિરોધ કરવાનો રહે; પરંતુ આ મન
વિવેકચૂડામણિ | ૭૦૯