________________
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
વાનિોધ:, અપશ્રિહઃ, નિશા, નિરીહા, નિત્યં પ્રાન્તશીલતા ૨,
योगस्य प्रथमं द्वारम् ॥३६८||
-
શબ્દાર્થ :
મુખ્ય વાક્યઃ યોાસ્ય પ્રથમ દ્વારમ્ । દ્વાર - બારણું, પ્રવેશ મેળવવા માટેનાં સાધનો; સોપાનો; યો છ ભારતીય દર્શનોમાંનું, પતંજલિ-પ્રણીત એક દર્શન, (System of Philosophy). આ યોગદર્શનમાં પ્રવેશ મેળવવા માટે, એનો આરંભ કરવા માટે, એમાં અધિકાર અથવા એની પાત્રતા સિદ્ધ કરવા માટે, શ્લોકના બાકીના શબ્દોમાં જણાવ્યા પ્રમાણેનાં આ પાંચ પ્રાથમિક સાધનો છે : (૧) વાનિરોધ: । વાણીમાં સંયમ-નિયમ જાળવવો તે; વાણી પરનું નિયંત્રણ; (૨) અઅિહઃ । - કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો તે; દ્રવ્યનો સંઘરો ન કરવો તે; સંગ્રહવૃત્તિનો અભાવ. (૩) નિરાશા । ભૌતિક-લૌકિક-દુન્યવી આશાઓનો ત્યાગ; કોઈ પણ વ્યક્તિ-વસ્તુની આશા કે અપેક્ષા ન સેવવી તે; અહીં આ શબ્દ ‘નિરાશ' (Disappoint) થવાના, પ્રચલિત અર્થમાં, સમજવાનો નથી, પરંતુ સર્વ પ્રકારની આશા-આકાંક્ષા-અપેક્ષા વગેરેથી મુક્ત રહેવાના અર્થમાં પ્રયોજાયો છે. (૪) નિરીહા । હા એટલે ઇચ્છા, કામના. નિરીહા એટલે ઇચ્છારહિત, કામના-રહિત થવું તે, સર્વ પ્રકારની ઇચ્છાઓનો પરિત્યાગ. (૫) નિત્યં ાન્તસેવનમ્ । નિત્ય-એકાંતવાસ, સદા એકલાં રહેવાની વૃત્તિ, જનસમુદાય કે ટોળાંઓથી અળગાં રહેવાનું વલણ.
આ પાંચ વલણો, યોગ-દર્શનમાં સિદ્ધિ મેળવવા માટેની પૂર્વતૈયારીરૂપ અથવા પૂર્વભૂમિકા-રૂપ પગથિયાં છે. (૩૬૮)
અનુવાદ :
વાણીનો સંયમ, દ્રવ્યસંગ્રહ ન કરવો તે, દુન્યવી લાભોની આશાઓનો ત્યાગ, ઇચ્છાઓનો પરિત્યાગ અને નિત્ય-એકાંતસેવન, - આ બધાં યોગમાં પ્રવેશ કરવાનાં પ્રાથમિક સાધનો છે. (૩૬૮)
ટિપ્પણ :
આ પહેલાના શ્લોકમાં સાધકને ઇન્દ્રિયનિગ્રહ (યતેન્દ્રિય:) અને મનઃશાંતિ(શાન્તમના: સન્)નો અનુરોધ કરવામાં આવ્યો હતો અને આ બે એટલે, વેદાંતવિદ્યાની પાત્રતા માટેનાં બહિરંગ સાધનો; પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં તો, આ માટે એક સ્વતંત્ર ‘દર્શન’(System of Philosophy)ની વ્યવસ્થા કરવામાં આવે ૭૦૪ / વિવેકચૂડામણિ