SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ જ ને ! (૩) કર્ણ અતિ એટલે, અંતે તો, “સ્વર્ગ” જ ને ! “આત્મતત્ત્વ' નહીં ! () અને સત્ત્વગુણની, ઉપર પ્રમાણે, પ્રશંસા કર્યા પછી પણ, ભગવાને પોતે જ. એ જ ગીતામાં અર્જુનને, સત્ત્વગુણ-સહિત ત્રણેય ગુણોથી પર, ત્રિગુણાતીત', થઈ જવાની, આજ્ઞા, આપી છે, એ શું સૂચવે છે ? - (અ) ગુન્ પતાનું અતીત્વ ત્રીનું તેથી તેહમુમવાનું ! | નર્મમૃત્યુના વિમુpોડમૃતમનુને (૧૪, ૨૦) . (બ) નિયુષ્યો મવાનુન | (૨, ૪૫) બીજુંઆવો “સારો જણાતો “સત્ત્વ ગુણ પણ, સર્જન કોનું છે? - “પ્રકૃતિ"નું, “માયા”નું ! અને કોની સાથે સદા તે રહે છે ? – રજોગુણ અને તમોગુણ જેવાં અનિષ્ટો સાથે જ ને ! ત્રીજું, મહાભારતમાં પણ, આત્મતત્ત્વને પામવા માટે તો, આ પ્રમાણે, ‘ત્યાગનો પણ “ત્યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે : येन त्यजसि तत् त्यज । જેથી અંતે “વિશ્વમાયા”નું નિવારણ થઈ શકે ! - भूयश्चान्ते विश्वमायानिवृत्तिः । આમ, “શુદ્ધ ભાસી રહેલો સત્ત્વ-ગુણ પણ “મિથ્યા જ કરે છે !' સો વાતની એક વાત : જેમાં એકેય “ગુણ” નથી, એટલે કે જે “નિર્ગુણ છે એવાં બ્રહ્મને, એટલે કે આત્મતત્ત્વને પામવું હોય તો, મોક્ષાર્થી સાધક માટે, પોતાનાં મનને, ત્રણેય ગુણોના મનમાંથી મુક્ત કરીને, તેને “નિર્મલ' બનાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી ! " છેલ્લે, પૂરું કરતાં પહેલાં, બે આનુષંગિક બાબતોનો ઉલ્લેખ કરવાનો રહે (૧) આ પહેલાં, ટિપ્પણના આરંભે જે સવાલ રજૂ થયો હતો કે “મનનો મેલ ત્યજવો કેવી રીતે ?” - તેનો જવાબ આપતાં, અહીં ધ્યાન’નો એમ કહીને મહિમા કરવામાં આવ્યો છે કે તે એવો “અગ્નિ' છે, જે, સત્ત્વ-વગેરે ત્રણેય ગુણોને ભસ્મીભૂત કરીને, મનને, પેલાં સુવર્ણની જેમ, પોતાના સ્વકીય ચળકાટ-ગુણો વડે ઝળહળતું કરે છે. (ર) સીતાનો ત્યાગ કર્યા પછી, વિરહ-અગ્નિમાં સળગી રહેલા, રામના કરુણરસને પણ, સંસ્કૃત મહાકવિ ભવભૂતિએ, “પુટપાકની જ ઉપમા આપી છે તે, સહેજે, અહીં હુરી રહે છે : ૬૯૨ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy